ફરી એક વખત વિવાદમાં આવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, પરીક્ષા પહેલા વાયરલ થયા પરીક્ષાના પેપર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 10:54:33

ગુજરાતમાં પેપર-લીક થવું હવે સામાન્ય થઈ ગયું છે. અનેક વખત પેપર લીક થવાના કિસ્સા સામે આવતા રહે છે. ત્યારે ફરી એક વખત પેપર લીક કાંડ  મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ સામે આવ્યું છે. BBA અને B.com સેમ 5ની પરીક્ષાનું પેપર ફુટતા વિવાદ સર્જાયો છે. જેને કારણે BBAનું નવું પેપર કાઢવામાં આવ્યું છે જ્યારે બીકોમની પરીક્ષા માટે નવી તારીખ જાહેર કરવામાં આવશે. પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓની ચિંતામાં વધારો થયો છે.  

સોશિયલ મીડિયા પર પેપર વાયરલ થતા વિદ્યાર્થીઓમાં રોષ

બી.બીએ સેમેસ્ટેર 5માં ડાયરેક્ટ ટેક્સની પરીક્ષા થવાની હતી એને બી.કોમ વાળાની આજે ઓડિટિંગ એન્ડ ગવર્નન્સ-1ની  પરીક્ષા લેવાની હતી. પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓ હેરાન થઈ ગયા છે અને રોષે ભરાયા છે. 12 ઓક્ટોબરના રોજ સોશિયલ મીડિયા પર પેપર વાયરલ થઈ ગયું હતું. પરીક્ષાના એક દિવસ પહેલા પેપર ફૂટતા તાત્કાલિક બીબીએનું નવું પેપર કાઢવામાં આવ્યું હતું. જ્યારે B.Comની પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે. પરીક્ષાના એક દિવસ પહેલા પેપર યુનિવર્સિટી દ્વારા પરીક્ષા કેન્દ્રો પર મોકલી દેવામાં આવે છે. જેને કારણે અનેક વખત પેપર ફૂટતા રહે છે અને હજારો વિદ્યાર્થીના ભાવિ સાથે ચેડા થાય છે.  

Rajkot: The exam papers of BBA and B.Com were leaked in this university ગુજરાતની આ યુનિવર્સિટી ફરી એકવાર આવી વિવાદમાં, BBA અને B.Comની પરીક્ષાના પેપર થયા લીક


વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા

અનેક વખત પેપર ફૂટવાનો મામલો સામે આવતો રહે છે. પેપર લીક થવું હવે સામાન્ય બની ગયું છે. અનેક યુનિવર્સિટીઓમાંથી પેપર લીક કાંડ સામે આવતા હોય છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કૌભાંડનું એપી સેન્ટર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. પેપર લીક થતા નિર્દોષ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર આની અસર પડે છે. તેમનું ભવિષ્ય બગડી જતું હોય છે. આમાં મહેનત કરનાર વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફળી વળે છે. તંત્રને એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય કે ક્યાં સુધી તંત્રની બેદરકારીને કારણે વિદ્યાર્થી ભોગ બનશે.    


પેપર લીક પર રાજનીતિ:ઇશુદાન ગઢવીએ ટ્વિટ કરી ભાજપ પર પ્રહાર કર્યા 




એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.