વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી આવશે ગુજરાતના પ્રવાસે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-11 16:57:17

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતાની સાથે ભાજપમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. જેને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અવારનવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્માં છે. ત્યારે વડાપ્રધાન મોદી ફરી એક વખત 29 અને 30 સપ્ટેમ્બરના રોજ ગુજરાત આવે તેવી શક્યતાઓ છે.

ભાજપમાં બેઠકોનો દોર

વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ એક્ટીવ મોડમાં આવી ગઈ છે. ચૂંટણીને લઈ રણનીતી બનાવાઈ રહી છે. પીએમ પણ અનેક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે 29 અને 30 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.

અનેક કાર્યક્રમોમાં લેશે ભાગ

પ્રવાસ દરમિયાન અમદાવાદ, ભાવનગર તેમજ સુરતના અનેક કાર્યક્રમોમાં હાજરી આપી શકે છે. અમદાવાદના મોદી સ્ટેડિયમમાં 36મી રાષ્ટ્રીય રમતોનું ઉદ્ધાટન કરશે. ઉપરાંત સુરત અને ભાવનગરમાં સરકારની વિવિધ યોજનાઓનું લોકાર્પણ તેમજ ખાતમૂહુર્ત કરશે. 30મીએ પણ અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. એ પહેલા તેઓ પોતાના જન્મ દિવસ પર પણ માતા હિરાબાના આશીર્વાદ લેવા આવી શકે છે.



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.