ફરી એક વખત રાહુલ ગાંધી વિરુદ્ધ કરાયો માનહાનિનો કેસ! જાણો રાહુલ ગાંધી વિરૂદ્ધ કોણે કેસ કર્યો દાખલ?


  • Published By :
  • Published Date : 2023-04-13 09:42:34

રાહુલ ગાંધીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. એક તરફ મોદી સરનેમને લઈ આપેલા નિવેદનને કારણે રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા કરવામાં આવ્યો હતો. જે મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. આ મામલો હજી શાંત નથી થયો, આ મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ અંગે સુનાવણી થવાની છે ત્યારે તો રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિનો કેસ વીર સાવરકરના વંશજ દ્વારા કરવામાં આવ્યો છે. વીર સાવરકર પર કરવામાં આવેલી ટિપ્પણીને લઈ રાહુલ ગાંધી વિરૂદ્ધ સાવરકરના વંશજ માનહાનિનો કેસ દાખલ કર્યો છે.

  

વીર સાવરકરના વંશજે કર્યો રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ!

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર વધુ એક માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. 2019માં મોદી સરનેમને લઈ રાહુલ ગાંધી દ્વારા ટિપ્પણી કરવામાં આવી હતી. જે બાદ પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી પર માનહાનિનો કેસ કર્યો હતો. સુરતની કોર્ટે આ મામલે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા ઉપરાંત બે વર્ષની સજા પણ ફટકારી હતી.જેને લઈ રાહુલ ગાંધીનું સાંસદ પદ પણ રદ્દ કરવામાં આવ્યું હતું. આ મામલો હજી શાંત નથી થયો ત્યારે તો રાહુલ ગાંધી પર વધુ એક માનહાનિનો કેસ થયો હોવાના સમાચાર મળી રહ્યા છે. વીર સાવરકર પર રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધી પર માનહાનિ કેસ કરાયો છે. આ વખતે માનહાનિનો કેસ વીર સાવરકરના વંશજ સત્યકી સાવરકર દ્વારા કરાયો છે.

હિમંત બિસ્વા સરમા પણ કરી શકે છે માનહાનિ કેસ દાખલ! 

આ અંગે વાત કરતા સત્યકી સાવરકરે રાહુલ ગાંધી પર આરોપ લગાવતા કહ્યું કે રાહુલ ગાંધીએ આ વર્ષે યુનાઈટેડ કિંગડમમાં પોતાની હાલિયા યાત્રા દરમિયાન વીર સાવરકર માટે અભદ્ર ટિપ્પણી કરી હતી. વીર સાવરકરના વંશજ ઉપરાંત રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવાની વાત આસામના મુખ્યમંત્રી  હિમંત બિસ્વા સરમા દ્વારા પણ કરવામાં આવી છે. થોડા દિવસો પહેલા અદાણીને લઈ રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું. જેમાં અનેક પૂર્વ કોંગ્રેસી નેતાઓના નામ જોડવામાં આવ્યા હતા. આ નામમાં આસામના મુખ્યમંત્રીનો પણ સમાવેશ થયો હતો. આ મામલે હિમંતા બિસ્વા સરમાએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિ કેસ કરવાની વાત પણ કહી હતી.  


 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.