ફરી એક વખત રાહુલ ગાંધી વિરુદ્ધ કરાયો માનહાનિનો કેસ! જાણો રાહુલ ગાંધી વિરૂદ્ધ કોણે કેસ કર્યો દાખલ?


  • Published By :
  • Published Date : 2023-04-13 09:42:34

રાહુલ ગાંધીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. એક તરફ મોદી સરનેમને લઈ આપેલા નિવેદનને કારણે રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા કરવામાં આવ્યો હતો. જે મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. આ મામલો હજી શાંત નથી થયો, આ મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ અંગે સુનાવણી થવાની છે ત્યારે તો રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિનો કેસ વીર સાવરકરના વંશજ દ્વારા કરવામાં આવ્યો છે. વીર સાવરકર પર કરવામાં આવેલી ટિપ્પણીને લઈ રાહુલ ગાંધી વિરૂદ્ધ સાવરકરના વંશજ માનહાનિનો કેસ દાખલ કર્યો છે.

  

વીર સાવરકરના વંશજે કર્યો રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ!

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર વધુ એક માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. 2019માં મોદી સરનેમને લઈ રાહુલ ગાંધી દ્વારા ટિપ્પણી કરવામાં આવી હતી. જે બાદ પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી પર માનહાનિનો કેસ કર્યો હતો. સુરતની કોર્ટે આ મામલે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા ઉપરાંત બે વર્ષની સજા પણ ફટકારી હતી.જેને લઈ રાહુલ ગાંધીનું સાંસદ પદ પણ રદ્દ કરવામાં આવ્યું હતું. આ મામલો હજી શાંત નથી થયો ત્યારે તો રાહુલ ગાંધી પર વધુ એક માનહાનિનો કેસ થયો હોવાના સમાચાર મળી રહ્યા છે. વીર સાવરકર પર રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધી પર માનહાનિ કેસ કરાયો છે. આ વખતે માનહાનિનો કેસ વીર સાવરકરના વંશજ સત્યકી સાવરકર દ્વારા કરાયો છે.

હિમંત બિસ્વા સરમા પણ કરી શકે છે માનહાનિ કેસ દાખલ! 

આ અંગે વાત કરતા સત્યકી સાવરકરે રાહુલ ગાંધી પર આરોપ લગાવતા કહ્યું કે રાહુલ ગાંધીએ આ વર્ષે યુનાઈટેડ કિંગડમમાં પોતાની હાલિયા યાત્રા દરમિયાન વીર સાવરકર માટે અભદ્ર ટિપ્પણી કરી હતી. વીર સાવરકરના વંશજ ઉપરાંત રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવાની વાત આસામના મુખ્યમંત્રી  હિમંત બિસ્વા સરમા દ્વારા પણ કરવામાં આવી છે. થોડા દિવસો પહેલા અદાણીને લઈ રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું. જેમાં અનેક પૂર્વ કોંગ્રેસી નેતાઓના નામ જોડવામાં આવ્યા હતા. આ નામમાં આસામના મુખ્યમંત્રીનો પણ સમાવેશ થયો હતો. આ મામલે હિમંતા બિસ્વા સરમાએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિ કેસ કરવાની વાત પણ કહી હતી.  


 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!