ગુજરાતના શિક્ષણ મંત્રીની આ ટ્વિટ પર લોકોએ ઉઠાવ્યો શિક્ષકોની કાયમી ભરતીનો મુદ્દો! જાણો સમગ્ર વિગત


  • Published By :
  • Published Date : 2023-07-26 09:30:11

ગુજરાતના તેમજ દેશના યુવાનો પ્રગતિ કરી આગળ વધે તે માટે અનેક સરકારી યોજનાઓ અમલમાં છે. વિવિધ સરકારી યોજનાનો લાભ લઈ અંતરિયાળ વિસ્તારમાં વસતા યુવાનો પોતાના સપના સાકાર કરતા હોય છે. ગામડામાં રહેતા લોકોનું, યુવાનોનું પોટેન્શિયલ એટલું બધું હોય છે જો તેમને યોગ્ય માર્ગદર્શન, યોગ્ય સલાહ મળી જાય તો તે કંઈ પણ કરી શકવા સક્ષમ છે. એમની આંખમાં જે ઝનુન દેખાતું હોય છે જે તેમને આગળ વધવા માટે સતત પ્રોત્સાહિત કરતા રહે છે. ગામડાના લોકોમાં કંઈક કરી બતાવવાની તાલાવેલી હોય છે. 

મોરૂકા ગીરમાં વસતા સિદ્દી સમાજમાંથી પ્રથમ યુવાન વિદેશમાં ભણશે

ત્યારે ગીર સોમનાથ વિસ્તારના અંતરિયાળ ગામ મોરૂકા ગીરમાં વસતા સિદ્દી સમાજમાંથી પ્રથમ યુવાન અભ્યાસ અર્થે કેનેડા જવાનો છે. અંતરિયાળ વિસ્તારના લોકો પણ આગળ વધી રહ્યા છે. આ અંગેની જાણકારી સોશિયલ મીડિયા પર શિક્ષણમંત્રીએ આપી છે. પોતાની ટ્વિટમાં તેમણે લખ્યું કે મોરૂકા ગીરમાં વર્ષોથી વસતા સિદ્દી સમાજમાંથી પ્રથમ યુવાન સરકારી યોજનાના લાભ થકી અભ્યાસ થકી અભ્યાસ અર્થે કેનેડા જવાનો હોય તેને પ્રોત્સાહિત કર્યો તથા અભિનંદન પાઠવ્યા. આ વાતને અનેક લોકોએ બિરદાવી પરંતુ અનેક લોકોએ આ વાતને કમેન્ટમાં કાયમી શિક્ષકોની ભરતી સાથે જોડી દીધી.  





શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી અનેક લોકોએ કરી કમેન્ટ

શિક્ષણમંત્રીની આ પોસ્ટ પર કરાર આધારીત ભરતીનો વિરોધ કરતા લોકોએ જાણે કે પોતાનો રોષ વ્યક્ત કર્યો હોય તેવું લાગે છે. શિક્ષણ મંત્રીની ટ્વિટ પર કોઈએ કમેન્ટ કરી કે આમેય અહીંયા ગુજરાતમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ દ્વારા યુવાઓનું શોષણ જ થાય છે. તો કોઈએ લખ્યું કે ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે ટેટ ટાટ પાસ શિક્ષકો જોઈએ પણ શિક્ષણમાં સુધારો કરનાર મંત્રી અભણ ચાલે... મેરા ભારત મહાન.  તો કોઈએ લખ્યું કે દેખાવ જ કરો છો થોડીક બોલવામાં પણ સભ્યતા રાખો ડીંડોર સાહેબ આજ રોજ જે ટેટ ટાટ ઉમેદવારો આવ્યા હતા તેમનું અપમાન કરતા આપણે જરા પણ શરમ ના આવી???  તો કોઈએ લખ્યું કે કાયમી શિક્ષક ની રજૂઆત કરવા આવેલા લોકોને મનફાવે એવા જવાબ આપ્યા છે તો વિચારી લેજો આ વખતે બવ ઝાઝા વોટ થી જીત્યા નથી આપ અને અપક્ષ ના હોત તો ગરબો ઘરે હતો એટલે બવ અભિમાન રાખવું નહિ ક્યારે ઘર ભેગા થઇ જાસો ખબર પણ નહિ પડે.  


અનેક લોકોએ પોસ્ટમાં કરી પોઝિટિવ કમેન્ટ

આ પોસ્ટ પર માત્ર નેગેટિવ કમેન્ટ જ છે એવું નથી પરંતુ સારી પ્રતિક્રિયાઓ પણ છે. કોઈએ લખ્યું કે સરકાર સંપૂર્ણ રીતે કટિબદ્ધ.. તો કોઈએ લખ્યુ કે આદિજાતિ વિકાસ વિભાગની યોજના થકી આજે એક યુવાન પોતાના સપના પુરા કરવા પાંખો ફેલાવીને વિદેશ જઈ રહયો છે ત્યારે અભિનંદન સહ શુભકામનાઓ.... આદિમજૂથ સમુદાય ના વધુ ને વધુ લોકો આ યોજનાનો લાભ લે તો સમાજ ને પણ એક નવી દિશા મળશે... 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.