કેમ મહારાષ્ટ્ર આજના દિવસને 'કાળો દિવસ' કહે છે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 17:25:11

મહારાષ્ટ્રના એ કાળા દિવસે શું થયું હતું?

વર્ષ 1993નો એ 30 સપ્ટેમ્બરના સવારના સમયની એ વાત છે. દેશના લોકો સૂઈ રહ્યા હતા અને મહારાષ્ટ્રમાં હજુ તો સવારના ચાર વાગ્યામાં થોડી મિનિટોની જ વાર હતી. મહારાષ્ટ્રના લાતુર અને ઓસ્માનાબાદ વિસ્તારમાં ભયાનક ભૂકંપ આવે છે. આ ભૂકંપ એક સાથે 52થી વધુ ગામોને અસર કરે છે, જેમાં લગભગ 10 હજાર લોકો મરી જાય છે. જો કે કુલ અસરની વાત કરીએ તો લગભગ 700થી વધુ ગામોમાં ભૂકંપના કારણે અસર થઈ હતી. 

આ દૂર્ઘટનામાં 30 હજાર લોકો તો ઈજાગ્રસ્ત થાય છે. સવારે 3 વાગીને 56 મિનિટે જે ભૂકંપ આવ્યો હતો તે મહારાષ્ટ્ર અને ભારત કોઈ દિવસ નહીં ભૂલી શકે. મહારાષ્ટ્રના આજના ભૂકંપની તીવ્રતા 6.4 હતી. ભૂકંપ સિસ્મોગ્રાફ નામના મશીનમાં માપવામાં આવે છે.


ભૂકંપનું વિજ્ઞાન સમજીએ તો...

આ ભૂકંપ જમીનની દસ કિલોમીટર અંદર આવ્યો હતો. દસ કિલોમીટર હોવાથી આ ભૂકંપ ભયાનકમાં ભયાનક હતો. જમીનના અંદર મેગ્મા નામનું પ્રવાહી રહેલું છે. આ મેગ્મા સતત હલન ચલન કરતું રહેતું હોય છે. તેની ઉપર પૃથ્વીનો પોપડો આવેલો છે જે તેના પર તરતો હોય છે. હલન ચલન વધે તો કંપારી છૂટે છે અને તેના કારણે ભૂકંપનું નિર્માણ થાય છે. જો આ ભૂકંપ ખૂબ ઉંડે સુધી હોય તો જાનહાનીના ચાન્સ ઓછા રહે છે, પરંતુ જો જમીનની સપાટી નજીક ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોય તો મર્યા સમજજો. કારણ કે જેટલો ભૂકંપ અંદર હોય છે ત્યારે તે મેગ્મામાંથી પસાર થાય તો મેગ્મા તેની કંપારીને ઓછી કરી દે છે. જો ભૂકંપ પોપડામાં હોય તો તે ઘન પદાર્થમાં હોવાના કારણે મોટી જાનહાની કરે છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે