Rajkot TRP Gamezoneમાં ન્યાય માંગવા વિપક્ષ રસ્તા પર, Devanshi Joshiએ Jignesh Mevaniને પૂછ્યો આ સવાલ તો સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-06-15 12:47:15

લોકશાહીમાં જેટલા પ્રશ્નો સત્તાને થાય છે તેટલા જ પ્રશ્નો વિપક્ષને પણ થાય છે. વિપક્ષ મજબૂત હોવો જોઈએ તેવું આપણે માનીએ છીએ... વિપક્ષ જેટલો દમદાર હોય છે તેટલા કામ વધારે થાય છે તેવું આપણે માનતા હોઈએ છીએ.. અનેક વખત એવું લાગે છે કે ગુજરાતમાં વિપક્ષ જાણે છે જ નહીં. વિપક્ષની નબળી કામગીરી સામે આવી છે તેવી વાતો આપણે કરતા રહીએ છીએ. રાજકોટ અગ્નિકાંડને લઈ વિપક્ષ દ્વારા એવો અવાજ નથી ઉપાડવામાં આવતો જે રીતના અવાજ ઉપાડવો જોઈએ.. પરંતુ આ વખતે વિપક્ષ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યો છે.

કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે વિરોધ 

પીડિત પરિવારને ન્યાય મળે તે માટે કોંગ્રેસ દ્વારા થોડા દિવસ પહેલા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ઉપવાસ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા અનેક માગણી મૂકવામાં આવી છે. કોંગ્રેસે 25 તારીખે રાજકોટ બંધનું એલાન કર્યું છે. અને આજે પોલીસ કમિશનર ઓફિસનો ઘેરાવો કરી રહ્યા છે. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ, નેતાઓ હાજર છે.. સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, અમિત ચાવડા, જેની ઠુમ્મર સહિતના નેતાઓ હાજર છે.



શું કહ્યું જિગ્નેશ મેવાણીએ? 

ન્યાયની માગ સાથે રસ્તા પર ઉતરેલા વિપક્ષના નેતાઓને દેવાંશી જોશીએ સવાલ કર્યો. જિગ્નેશ મેવાણીને સવાલ કર્યો કે જેટલી બુલંદીથી નારા લગાવી રહ્યો છો તમને અપેક્ષા છે કે તે અવાજ સંભળાશે? તો જવાબમાં તેમણે કહ્યું કે જેટલા પણ લોકોને મળ્યા તે લોકોનું એક સૂરે કહેવું છે કે તક્ષશિલા કાંડ, મોરબી કાંડની જેમ પણ આ કિસ્સામાં પણ કુલડીમાં ગોળ ભગાશે.. પણ અમે લોકો પણ determined છીએ કે ભાજપના જે નેતાઓના ભ્રષ્ટાચારના પાપના કારણે અગ્નિકાંડ સર્જાયો એમની ધરપકડ ના થાય અને તપાસ તેના અંજામ સુધી ના પહોંચે ત્યાં સુધી આ લડતને ઉંચી મૂકવાના નથી.. મહત્વનું છે કે ત્યાં હાજર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા નારા લગાવવામાં આવી રહ્યા છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે