એક તરફ Gyan Sahayakનો વિરોધ તો બીજી તરફ સરકાર કરી શકે છે Vidhya Sahayakઓની ભરતી અંગે જાહેરાત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-23 10:03:09

એક તરફ જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ થઈ રહ્યો છે તો બીજી તરફ વિદ્યા સહાયકની ભરતી અંગે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તેવી માહિતી સામે આવી છે. મળતી વિગતો અનુસાર ટૂંક સમયમાં વિદ્યા સહાયકોની મોટા પ્રમાણમાં ભરતી થઈ શકે છે. ગુજરાતમાં વિવિધ જગ્યાએ વિદ્યાસહાયકોની ભરતી માટેનો મહત્વપૂર્ણ નિર્ણય સરકારે લીધો છે. ટૂંક સમયમાં વિદ્યા સહાયકની નવી ભરતી જાહેર થઈ શકે છેએવા સમાચાર સામે આવી રહ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા 2750 જગ્યાઓ ભરવાની મંજુરી આપી દેવામાં આવી છે. અગાઉ મંજુર કરેલી 5360 જગ્યાઓમાંથી 2600 જગ્યાઓ ભરવામાં આવી હતી. બાકી રહેલી જગ્યાઓ ભરવા માટે વિભાગ કામગીરી શરુ કરાઈ છે. 

Image

2750 જગ્યાઓ માટે થઈ શકે છે ભરતીની જાહેરાત!

ગુજરાતના ભાવિ શિક્ષકો કરાર આધારિત ભરતીનો વિરોધ કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. એક તરફ ટેટ-ટાટ પાસ ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતી માટે આંદોલન ચલાવી રહ્યા છે તો બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા વિદ્યા સહાયકની ભરતી અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે તેવી માહિતી સામે આવી છે. ટૂંક સમયમાં બાકી રહેલી જગ્યાઓ માટે વિસ્તૃત કાર્યક્રમ જાહેર કરવામાં આવશે તેવી જાણકારી સામે આવી છે. 2750 જેટલી વિદ્યાસહાયકોની ભરતી અંગે જાહેરાત કરવામાં આવી શકે છે. આની પહેલા જ્યારે ભરતી કરવામાં આવી હતી ત્યારે 2600 જેટલી જગ્યાઓ ભરાઈ ચૂકી હતી અને હવે બાકીની 2750 જગ્યાઓ પર આ ભરતી કરવામાં આવી શકે છે તેવી માહિતી સામે આવી છે. 


ટેટ-ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે જ્ઞાન સહાયકનો વિરોધ 

જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ ટેટ-ટાટ પાસ ઉમેદવારો ઉગ્ર રીતે નોંધાવી રહ્યા છે. અલગ અલગ જગ્યાઓ પર પ્રદર્શન કરી રહ્યા છે. જ્ઞાન સહાયક ભરતીને રદ્દ કરી કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ સાથે ગાંધીનગર ખાતે આંદોલન કરવાનો અનેક વખત પ્રયાસ કર્યો પરંતુ આંદોલન કરવા સ્થળ પર પહોંચે તેની પહેલા જ તેમની અટકાયત કરી દેવામાં આવતી હતી. જ્ઞાન સહાયકના વિરોધ વચ્ચે સરકારે વિદ્યા સહાયકની ભરતી કરવાની વિચારણા કરી છે ત્યારે જોવું રહ્યું આવનાર સમયમાં શું થાય છે?   



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!