Dusheraના પર્વ પર ડ્રગ્સને લઈ Harsh Sanghviએ આપ્યું નિવેદન, કહ્યું નકારાત્મકતાના રાવણનું દહન કરીએ


  • Published By :
  • Published Date : 2023-10-24 16:49:05

ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ દારૂબંધીના કાયદાનો અમલ કેટલો અને કેવો થાય છે તે આપણે જાણીએ છીએ. દારૂબંધીના ધજાગરા ખુલ્લેઆમ ઉડતા હોય તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. ગુજરાતને ડ્રાય સ્ટેટ પણ કહેવામાં આવે છે પરંતુ વાસ્તવિક્તા આપણા નજરોની સામે છે. કેટલો દારૂ ઝડપાય છે, કેટલા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પકડાય છે તે આપણે જાણીએ છીએ. દારૂ તો યુવા પેઢીને નુકસાન પહોંચાડે ઉપરાંત ડ્રગ્સ પણ શરીર માટે હાનિકારક છે. ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો પકડાઈ રહ્યો છે ત્યારે આજે દશેરાના દિવસે ગુજરાતમાં પકડાતા ડ્રગ્સને લઈ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે. 

ગુજરાતમાંથી અનેક વખત પકડાય છે ડ્રગ્સ 

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. એક સમયે ઉડતા પંજાબ કહેવાતું હતું પરંતુ આપણા રાજ્યમાંથી પણ અનેક વખત ડ્રગ્સનો મોટો જથ્થો પકડાય છે. ડ્રગ્સને પકડવા માટે ઝુંબેશ ચાલે છે. એક્શન ત્વરીત લેવામાં આવી રહ્યા છે. ત્યારે ડ્રગ્સને લઈ હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીએ પહેલા રાજ્યના નાગરિકોને દશેરાની શુભકામના પાઠવી હતી અને તે બાદ કહ્યું કે વિજયાદશમીનું પવિત્ર પર્વ આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું પ્રતિક છે. દશેરા એટલે ખામીઓ સામે ખૂબીઓનો વિજય એમ જણાવી નકારાત્મકતાના રાવણનું દહન કરીને હૃદયમાં સકારાત્મકતાની જ્યોત પ્રગટાવવા આહ્વાન કર્યું હતું.   


પોલીસની કામગીરીને હર્ષ સંઘવીએ બિરદાવી 

ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે રાજ્યમાં છેલ્લાં બે વર્ષથી ડ્રગ્સના દૈત્યને નાથવાનું અને ડ્રગ્સ રેકેટનો સંપૂર્ણપણે સફાયો કરવાનું અભિયાન ચાલી રહ્યું છે. અમે ડ્રગ્સની સામે અભિયાન નથી ચલાવતા, અમે એક જંગ છેડી દીધી છે. ડ્રગ્સને સંપૂર્ણરીતે સાફ કરીને જ આ જંગ બંધ કરીશું તેવી હું બધાને ખાતરી આપું છું. ડ્રગ્સ સામેની લડાઈમાં અમે જીત મેળવીને રહીશું.  રાષ્ટ્ર, રાજ્યના લોકોની રક્ષા, સમાજ સુરક્ષા માટે પોલીસ દળની કર્તવ્યપરાયણતાને બિરદાવી હતી. ઉપરાંત એવું પણ કહ્યું હતું કે હું કહું છું કે કાયદામાં રહેશે તો જ ફાયદામાં રહેશે. કાયદો તોડનાર દરેકને જ્યાં સુધી સજા ન થયા ત્યાં સુધી ગુજરાત પોલીસ તેની પાછળ જ રહેશે. 



પોલીસ ધારે તો તેમના માટે અશક્ય કંઈ નથી 

મહત્વનું છે અનેક વખત અમે કહેતા હોઈએ છીએ કે પોલીસ ધારેને તો કોઈ પણ વસ્તુ અશક્ય નથી. એ ધારે તો ગુજરાતમાં દારૂબંધીનો અમલ કડકપણે થાય. ઘણી વખત બનતું હોય છે કે દારૂના અડ્ડાઓની જાણ હોવા છતાંય પોલીસ દ્વારા એક્શન નથી લેવામાં આવતા.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!