પુલવામા હુમલાની આજે ચોથી વરસી, પીએમ સહિત અનેક રાજનેતાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ


  • Published By :
  • Published Date : 2023-02-14 14:17:38

એક તરફ 14મી ફ્રેબુઆરીના રોજ લોકો વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી રહ્યા હતા તો બીજી તરફ દેશના જવાનો આતંકવાદીઓનો નિશાન બન્યા હતા. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં દેશના જવાનોનો કાફલો પસાર થતો હતો તે દરમિયાન વિસ્ફોટક ભરેલી કાર તેની સાથે ટકરાવીને આતંકવાદીઓએ સુરક્ષા જવાનો પર હુમલો કર્યો હતો. પાકિસ્તાન સમર્થિક જૈશે મહોમ્મદના આત્મઘાતી હુમલાખોરો દ્વારા 40 સીઆરપીએફ જવાનો શહીદ થઈ ગયા હતા.  

પુલવામા આતંકી હુમલાને 4 વર્ષ થયા, ભારતે લીધો હતો આ રીતે બદલો - pulwama  attack fourth anniversary – News18 Gujarati


40 જવાનો થયા હતા શહીદ 

14 ફેબ્રુઆરી 2019ના રોજ આતંકવાદીઓએ દેશના જવાનો પર હુમલો કર્યો હતો. સવાર સુધી માહોલ એકદમ નોર્મલ હતો પરંતુ બપોર બાદ આ માહોલ બદલાઈ ગયો હતો. દેશના જવાનો પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. તેમનો કાફલો જ્યારે પસાર થઈ રહ્યો હતો દરમિયાન વિસ્ફોટક લઈ જઈ રહેલા વાહને તેમને ટક્કર મારી દીધી હતી. આ દુર્ઘટનામાં 40 જવાનો શહિદ થઈ ગયા હતા. હુમલો થયો બાદ જવાનોને આર્મી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ હુમલાની તપાસ એનઆઈએ દ્વારા કરવામાં આવી હતી. 



પીએમ મોદી, અમિત શાહે પાઠવી શ્રદ્ધાંજલિ 

આ હુમલાની આજે ચોથી વરસી છે. આ દિવસે અનેક નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી લખ્યું કે એ વીરોને યાદ કરી રહ્યો છું, જેમને આપણે પુલવામામાં ખોઈ દીધા છે. તેમના સર્વોચ્ચ બલિદાનને નહીં ભૂલી શકીએ. તે ઉપરાંત અમિત શાહે પણ વીર જવાનોને યાદ કર્યા છે. તેમણે લખ્યું કે હું 2019માં આજના દિવસે પુલવામામાં થયેલા આતંકીહુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવું છું.

        




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.