પ્રથમ નોરતે લાખો દર્શનાર્થીઓએ કર્યા માંના દર્શન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 15:31:38

માતાજીના નવલા નોરતાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. નવરાત્રી દરમિયાન માં જગદંબાની આરાધના કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ત્યારે નવરાત્રીના પ્રથમ નોરતે ગુજરાતમાં આવેલા શક્તિપીઠ અંબાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા તેમજ પાવાગઢ ખાતે પણ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. દૂર-દૂરથી લોકો માં અંબાના દર્શન કરવા આવે છે. દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

બોલ મારી અંબે જય જય અંબે નાદથી ગુંજ્યુ ચાચર ચોક

આદ્યશક્તિના 52 શક્તિપીઠોમાંથી મુખ્ય ગણાતું અંબાજી શક્તિપીઠ ખાતે નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. એવી માન્યતા છે કે માતા સતીનું હૃદય આ સ્થાનકે પડ્યું હતું. જેથી આ સ્થાનનું મહાત્મય વધી જાય છે. સામાન્ય દિવસોમાં પણ માં અંબાના દર્શને ભક્તો આવતા હોય છે પરંતુ નવરાત્રી દરમિયાન દર્શન કરવાનો અનેરો મહિમા હોય છે. જેને કારણે નવરાત્રીના પ્રથમ નોરતે જ ભાવિકોનું ઘોડાપુર અંબાજી ખાતે ઉમટી પડ્યું હતું. મોટી સંખ્યમાં ભક્તો ઉપસ્થિત રહેતા મંદિર પરિસર બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું. અંબાજી મંદિરના મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ઘટસ્થાપના વિધિ કરવામાં આવી હતી.    

ભક્તોએ અંબાજી પહોંચી મા અંબાનાં દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી


બોલ મારી અંબે, જય જય અંબે...ના નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઊઠ્યું


પાવાગઢમાં પણ ઉમટ્યું ભાવિકોનું ઘોડાપુર

ગુજરાતમાં આવેલા બીજા શક્તિપીઠ પાવાગઢ ખાતે પણ માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. લાખોની સંખ્યામાં ભક્તોએ માં મહાકાળીના દર્શન કર્યા હતા. ભક્તોનું ઘોડાપુર ઉમટી પડતા સવારથી જ લાંબી કતારો જોવા મળી હતી. મંદિરમાં આવતા ભક્તોને અગવડ ન પડે તે માટે પોલીસ વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી હતી. બપોર સુધી અંદાજીત 2 લાખથી વધુ દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લીધો હતો. નવરાત્રીના પ્રથમ નોરતે માં આગળ શિશ નમાવી માંના આશીર્વાદ મેળવી દર્શનાર્થીઓ ભાવવિભોર બન્યા હતા.   

 




અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.