નવરાત્રીના પ્રથમ દિવસે મેઘમહેરે થતા ખેલૈયાઓ નિરાશ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 16:33:02

છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીને કારણે નવરાત્રીનું આયોજન કરવામાં આવતું ન હતું. ત્યારે આ વર્ષે કોરોના નિયંત્રણમાં આવતા, મોટા પાયે ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 2 વર્ષ બાદ ગરબા રમવા મળતા ખેલૈયાઓ ઉત્સાહિત હતા. પરંતુ નવરાત્રીના પ્રથમ નોરતે વરસાદ પડવાને કારણે રંગમાં ભંગ પડી રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં ભારે વરસાદ પડવાને કારણે ખેલૈયાઓના આનંદમાં ઘટાડો થયો છે. 


અનેક જગ્યાઓ પર વરસ્યો વરસાદ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હાલ રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદના ખોખરા, મણિનગર, અમરાઈવાડી, CTM, વટવા, ઘોડાસર સહિતના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. વડોદરા ખાતે પણ વરસાદની પધરામણી થતા આયોજકોમાં ચિંતા પ્રવર્તી છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલીમાં પણ વરસાદની એન્ટ્રી થઈ છે. ગીર પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સૌરાષ્ટ્રના ગીર સોમનાથના ઉના, સુત્રાપાડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્તા ખેલૈયાઓમાં નિરાશા પ્રવર્તિ હતી. સુરતમાં પણ વરસાદ વરસ્યો હતો. તેમજ ભાવનગરમાં પણ ધોધમાર વરસાદ થયો હતો જેને કારણે ખેલૈયાઓમાં તેમજ આયોજકો ચિંતામાં મૂકાયા છે. પરંતુ આ તો ગુજરાતીઓ કહેવાય, વરસાદમાં પણ ગરબે ઘૂમે તો નવાઈ નહીં. 

નવરાત્રીમાં વરસાદ બનશે વિલન! હજુ ચાર દિવસ વરસાદી વાવાઝોડુ ગુજરાતને ઘમરોળશે  | heavy rain in gujarat during navratri monsoon 2019

Rain threat to lessen, Garba goers gearing up to make up for loss |  DeshGujarat



આપણે કહીએ છીએ કે કર્મ કોઈને છોડતું નથી.. કરેલા કર્મનો હિસાબ ક્યારેય તો ચૂકવવો પડે છે.. જેટલી ચાદર હોય તેટલા જ પગ લાંબા કરવા જોઈએ.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે હિસાબ કર્મની રચના

20 તારીખે ક્ષત્રિય મહાસંમેલન યોજાવાનું છે જેમાં સમાજના લોકો અને રાજવી પરિવાર હાજર રહેવાના છે. પણ એ મહાસંમેલન પહેલા જ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે અસ્મિતા મહાસંમેલનને લઈને એક મેસેજ લખ્યો, એક પત્ર લખ્યો છે.

દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.