મહાશિવરાત્રીના દિવસે સોમનાથ મહાદેવના દર્શન માટે ઉમટ્યું ભક્તોનો ઘોડાપુર, મંદિરમાં વિશેષ પૂજાનું કરાયું છે આયોજન


  • Published By :
  • Published Date : 2023-02-18 12:53:03

સમગ્ર દેશમાં ભક્તિભાવ સાથે મહાશિવરાત્રી પર્વની ઉજવણી થઈ રહી છે. મહાશિવરાત્રી એટલે ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવાનો દિવસ. આ દિવસે શિવમંદિરોમાં દર્શનાર્થીઓની લાંબી લાઈન જોવા મળતી હોય છે. તે ઉપરાંત જ્યોતિર્લિંગના દર્શન કરવાનો પણ વિશેષ મહિમા હોય છે. પ્રથમ જ્યોતિર્લિંગ ખાતે ભાવિકોનું ઘોડાપુર દર્શનાર્થે ઉમટ્યું છે. હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા છે.

 



વહેલી સવારથી ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર   

મહાશિવરાત્રીના દિવસે ભગવાન શંકરની વિશેષ પૂજા કરવામાં આવે છે. પૂજન અર્ચન કરી મહાદેવને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. ત્યારે દેશના વિવિધ શિવાલયોમાં વહેલી સવારથી ભાવિકોની ભીડ જોવા મળી રહી છે. આ દિવસે જ્યોતિર્લિંગના દર્શન કરવાનો મહિમા અનેરો હોય છે. ત્યારે સોમનાથમાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિકો આવી રહ્યા છે. અનેક લોકોએ સોમનાથ દાદાની આરતીનો લાભ લીધો હતો. તે ઉપરાંત મહાશિવરાત્રી પ્રસંગ મંદિર સતત 42 કલાક સુધી ખુલ્લું રહેશે. 



મંદિરમાં કરાયું છે વિશેષ પૂજાનું આયોજન 

મહાશિવરાત્રીને લઈ મંદિર દ્વારા વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારે 4 વાગ્યે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. સતત 42 કલાક સુધી મહાદેવની વિશેષ પૂજા કરવામાં આવશે. મહામૃત્યુંજય યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તે સિવાય ચારેય પ્રહર દરમિયાન ભગવાન ભોળાનાથની ભક્તિભાવ સાથે પૂજા કરવામાં આવશે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સોમનાથ દાદાના દર્શનનો લાભ લીધો હતો.   




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!