મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસે સરકારને પૂછ્યા 9 સવાલ! મોદી સરકારના કાર્યકાળની કોંગ્રેસે ગણાવી ખામીઓ.. અદાણીને લઈ પણ પૂછ્યા પ્રશ્ન.


  • Published By :
  • Published Date : 2023-05-26 16:57:13

9 વર્ષ પહેલા ભાજપ પાર્ટી સત્તા પર આવી હતી. આજે સત્તા પર આવે ભાજપને 9 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે કોંગ્રેસે ભાજપને અને પીએમ મોદીને 9 સવાલ પૂછ્યા છે. જયરામ રમેશે આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જયરામ રમેશે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 9 પ્રશ્નો પૂછવા માગે છે. 9 સવાલ માટે એક ડોક્યુમેન્ટરી બહાર પાડવામાં આવશે. કોંગ્રેસ પાર્ટીએ ઈકોનોમીને લઈ, કૃષિ અને ખેડૂતોને લઈ, ભ્રષ્ટાચાર અને પરિવારવાદ સહિતના અનેક મુદ્દાઓને લઈ ભાજપ સરકારને પ્રશ્ન પૂછ્યા છે. અમારી પાર્ટી પીએમ મોદીને સવાલ પૂછવા માગે છે અને જાણવા માગે છે કે પીએમ મોદી આ પ્રશ્નોના જવાબ ક્યારે આપશે?

            

કોંગ્રેસે ભાજપને પૂછ્યા 9 પ્રશ્નો! 

ભાજપ જ્યારથી સત્તામાં આવી છે ત્યારથી કોંગ્રેસ અનેક મુદ્દાઓને લઈ ભાજપ પર નિશાન સાધતું આવ્યું છે. કોંગ્રેસ દ્વારા અનેક વખત પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. ત્યારે આજે ભાજપને સત્તા પર આવે 9 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. ત્યારે 9 વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસે સરકારને 9 પ્રશ્નો પૂછ્યા છે. અદાણી મુદ્દે કોંગ્રેસે અનેક વખત પ્રશ્નો ઉઠાવ્યા છે. ત્યારે આ 9 પ્રશ્નોમાં આ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે સિવાય દેશમાં વધતી મોંઘવારી, ખેડૂતોને પડતી મુશ્કેલી, જનકલ્યાણની યોજનાઓને લઈ પ્રશ્નો પૂછ્યા હતા. ચીનને લઈને પણ કોંગ્રેસ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે.


વીડિયો પણ કર્યો શેર!

કોંગ્રેસ દ્વારા એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બહાર પાડવામાં આવી છે. વીડિયોમાં લખવામાં આવ્યું છે નાકામીના 9 વર્ષ. કોંગ્રેસ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું છે. પ્રેસ કોન્ફરન્સ કરી જયરામ રમેશે કહ્યું કે ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ અનેક વખત આવા પ્રશ્નો ઉઠાવ્યા છે. પરંતુ આજ સુધી કોઈ જવાબ મળ્યો નથી. પીએમ મોદી 9 પ્રશ્નોના જવાબ આપી પોતાનું મૌન તોડે.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.