ભાજપને સમર્થનની જાહેરાત પર ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે કહ્યું, મારુ સમર્થન સમાજ સાથે છે..! જાણો શું લખ્યું છે સોશિયલ મીડિયા પર યુવરાજે?


  • Published By :
  • Published Date : 2024-05-03 17:18:18

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે... આ બધા વચ્ચે ગુજરાતમાં પીએમ મોદી આવ્યા હતા બે દિવસ પ્રચાર માટે... પીએમ મોદી ગુજરાત હતા તે દરમિયાન રાજકોટ સ્ટેટના રાજવી માંધાતાસિંહે જણાવ્યું હતું કે, ગુજરાતના 15 રાજવી પરિવાર અને 46 જેટલા રાજવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે... રાજવી માંધાતાસિંહની જાહેરાત બાદ ભાવનગરના યુવરાજ જયરાજવીરસિંહ દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકવામાં આવી જેમાં તેમણે લખ્યું કે હું અને મારો પરિવાર સમાજ સાથે છીએ..

શું કહ્યું હતું રાજવી પરિવારે પ્રેસ કોન્ફરન્સમાં?

ભાજપને સમર્થનની જાહેરાત કરતા માંધાતાસિંહે જણાવ્યું હતું કે, "રાજાશાહી યુગના તપસ્વી, ત્યાગી અને પરાક્રમીની જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટે કાર્ય કરી રહ્યા છે. તો આપણે પ્રચંડ જનસમર્થન બતાવીને પૂર્ણ બહુમતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપીએ.અયોધ્યા રામ મંદિર હોઈ કે પછી બેટ દ્વારકાનો વિકાસ કરવાનો હોય. આ સાથે અંબાજી મંદિર અને સોમનાથનો વિકાસ પણ તેમણે કર્યો છે. રાજવીઓ જેમ કાર્ય કરતા હતા તેમની માફક વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કાર્ય કરી રહ્યા છે. કમળનું ફૂલ શુદ્ધતા અને આધ્યાત્મિકતાનું આંગણું છે. રાજવીઓનું સંપૂર્ણ સમર્થન વડાપ્રધાન મોદી સાથે છે."


ભાવનગરના યુવરાજે સોશિયલ મીડિયા પર લખી પોસ્ટ

તો માંધાતાસિંહ જાડેજાની જાહેરાત સામે ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહે મોટું નિવેદન આપ્યું છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જયવીરરાજસિંહે લખ્યું છે - 


“અમુક સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા મારી બનાવટી તસવીરો નો ઉપયોગ કરીને મારા રાજપુત સમાજ ને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ બાબતે હું સ્પષ્ટતા કરવા ઈચ્છું છું કે, હું અને મારો પરિવાર હંમેશા અમારા રાજપૂત સમાજની પડખે ઊભા રહ્યા છીએ. અમારા માટે અમારો સમાજ કાયમ માટે કોઈપણ રાજકીય પક્ષ કરતા ઉપર આવે છે. અમે ક્યારેય કોઈપણ પક્ષ સાથે સંકળાયેલા નથી, ન તો અમારામાંથી કોઈ પક્ષના સભ્ય છીએ અને ન તો અમે કોઈ પક્ષને મત આપવા માટે પ્રચાર કે સૂચન કરી રહ્યા છીએ. 


મારા રાજપૂત ભાઈઓ અને બહેનો અને હું એક લોકશાહી દેશમાં રહીએ છીએ, અને આપણે કોને પસંદ કરીએ તે પોતાનું અંગત મંતવ્ય છે. કોને મત આપવો કે ન આપવો તે હું સૂચન કરતો નથી અને મને વિશ્વાસ છે કે તમે બધા તે જાતે પસંદ કરવા માટે પૂરતા સમજદાર છો.”


જયવીરરાજસિંહે આ પોસ્ટમાં કોઈનું પણ નામ લખ્યા વિના આડકતરી રીતે કહી દીધું છે કે તેઓ માંધાતાસિંહે કરેલી જાહેરાત “15 રાજવી પરિવાર અને 46 જેટલા રાજવીઓ” સાથે સહમત નથી. ... 




નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.