રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પર રૂ. 1307 કરોડનું દેવું, શહેરની પાણીની દૈનિક માંગ 40 કરોડ લીટરથી વધુ


  • Published By :
  • Published Date : 2023-12-22 15:37:04

રાજ્યની તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનો જબરદસ્ત ખોટ કરી રહી છે, રાજકોટ મહાનગરપાલિકા પર તો કરોડો રૂપિયાનું દેવું હોવાનું દેવું હોવાનું સામે આવ્યું છે.  રાજકોટના મેયર  નયના પેઢડીયાએ દેવા અંગે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પર રૂ. 1307 કરોડ રુપિયાનું દેવુ છે. પાણી ચાર્જ પેટે સરકારના વિવિધ વિભાગોનું રૂ. 1307 કરોડનું દેવું ચડ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. 


 દૈનિક 40 કરોડ લીટર પાણીની માગ 


રાજકોટના મેયર નયના પેઢડિયાએ આ અંગે જાણકારી આપતા જણાવ્યું કે રાજકોટનો શહેરી વિસ્તાર વધતા પાણીની માંગ દૈનિક 40 કરોડ લીટર કરતા પણ વધારે છે. સૌની યોજના સહિત વિવિધ યોજનાના પાણી ચાર્જ પેટે ગત નવેમ્બર 2023 સુધી દેવા રકમ રૂ.1307 કરોડ પહોંચી છે. તેમના જણાવ્યા મુજબ સૌની યોજનાના 153 કરોડ, નર્મદા નીરના 770.81 કરોડ તથા સિંચાઈ વિભાગના 373.27 કરોડ રૂપિયા બાકી છે. રાજકોટની જનતાને પાણી અંગે સમસ્યા ઉભી ન થાય તે માટે પાણીની માગ કરવામાં આવી છે. રાજકોટ  મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે 45 વર્ષથી નવા જળસ્ત્રોત ન હોવાથી અન્ય યોજનાઓ પર આધાર રાખવો પડે છે. અગાઉની જેમ આ વખતે પણ રીતે દેવુ માફ કરવા રાજ્ય સરકારને રજૂઆત કરીશું, હાલ પત્ર વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.