રાહુલ ગાંધીનું સાંસદ પદ જવા પર US સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ લોકતંત્રને લઈ કહી મોટી વાત, જાણો શું કહ્યું વેદાંત પટેલે....


  • Published By :
  • Published Date : 2023-03-28 10:21:15

થોડા દિવસો પહેલા રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ્દ કરવામાં આવ્યું હતું. મોદી સરનેમ પર આપેલા નિવેદનને લઈ સુરતની કોર્ટે તેમને સજા અને દંડ ફટકાર્યો હતો. જે બાદ માત્ર અમુક કલાકોની અંદર જ રાહુલ ગાંધીને સંસદ માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે આ મામલે દેશના નહીં પરંતુ વિદેશના મંત્રીઓ પણ નિવેદન આપી રહ્યા છે. વિદેશી મીડિયા પણ આ મામલે ધ્યાન રાખી રહી હતી. ત્યારે અમેરિકાના ડેપ્યુટી પ્રિંસિપલ સ્પોક્સપર્સન વેદાંત પટેલે આ અંગે પ્રતિક્રિયા આપી છે.

     

શું કહ્યું વેદાંત પટેલે?

વેદાંત પટેલે આ અંગે નિવેદન આપતા કહ્યું કે કાયદો અને ન્યાય તંત્રનું સન્માન કોઈ પણ લોકતંત્રની આધારશિલા છે.અમે ભારતની અદાલતમાં રાહુલ ગાંધીનો  મામલો જોઈ રહ્યા હતા. ભારત સાથે વાતચીતમાં અને લોકતાંત્રિક મૂલ્યોનું મહત્વ, માનવાધિકારોની સુરક્ષા અને અભિવ્યક્તિની આઝાદી પર જોર આપી રહ્યા છે. કારણ કે એ જ કડી છે જે બંને દેશોના લોકતંત્રને મજબૂત કરે છે. 


આ મામલે શું થઈ કાર્યવાહી? 

ઉલ્લેખનીય છે કે 2019માં મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી હતી. જે બાદ તેમની વિરૂદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી. સુરતની કોર્ટમાં આ કેસને લઈ સુનાવણી દાખલ કરવામાં આવી હતી. જેમાં કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા ઉપરાંત સજા પણ ફટકારી હતી. જે બાદ રાહુલ ગાંધીનું સાંસદ પદ પણ રદ્દ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત સરકારી બંગલો ખાલી કરવા પણ રાહુલ ગાંધીને નોટિસ મોકલી દેવામાં  આવી છે. મળતી માહિતી અનુસાર 22 એપ્રિલ 2023 સુધી રાહુલ ગાંધીએ સરકારી બંગલો ખાલી કરી દેવો પડશે. 


આ મામલે કોંગ્રેસ જોવા મળી શકે છે આક્રામક 

આ મુદ્દાને લઈ કોંગ્રેસ પણ લડી લેવાના મૂડમાં જોવા મળી રહી છે. દેશભરમાં આ મામલે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ઉપરાંત સંસદમાં પણ કોંગ્રેસના સાંસદો કાળા કપડા પહેરીને આવ્યા હતા અને વિરોધ દર્શાવ્યો હતો. ઉપરાંત આવનાર સમયમાં પણ કોંગ્રેસ આ મુદ્દાને લઈ વિરોધ કરી શકે છે તેવી માહિતી મળી રહી છે.     



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.