એક તરફ પરષોત્તમ રૂપાલાનો વિવાદ તો બીજી તરફ કિરીટ પટેલનો બફાટ! ગુજરાતમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે Devanshi Joshiએ કેમ રાજા ભરતને યાદ કર્યા?


  • Published By :
  • Published Date : 2024-04-24 16:50:59

જ્યારે કોઈ વિવાદ ધીરે ધીરે શાંત થવા જઈ રહ્યો હોય, શાંત થવાને આરે હોય ત્યારે નેતાઓ દ્વારા એવા નિવેદનો આપવામાં આવી રહ્યા છે વિવાદને ઉશ્કેરી શકે તેવા છે....! ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચે ચાલી રહેલો વિવાદ આપણે જાણીએ છીએ.. એક તરફ આ વિવાદ શાંત થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ અનેક નેતાઓ એવા નિવેદનો આપી રહ્યા છે જે વિવાદને ભડકાવાનું કામ કરી શકે છે...! ક્ષત્રિય સમાજને લઈ શરૂ થયેલો વિરોધ શાંત નથી થયો ત્યારે ભાજપના અનેક નેતાઓએ ફરી એક વખત વિવાદીત નિવેદન આપ્યું છે... 

ભાજપનો વિરોધ કરતા દેખાયો ક્ષત્રિય સમાજ   

લોકશાહીના મહાપર્વની આપણે ઉજવણી કરી રહ્યા છીએ... આપણો દેશ લોકશાહીમાં માનનારો દેશ છે તે વાતનો આપણે ગર્વ લેતા હોઈએ છીએ પરંતુ અનેક વખત નેતાઓ દ્વારા આપવામાં આવતા નિવેદનોને સાંભળતા લાગે કે જાણે લોકશાહીની મજાક બની રહી છે... પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈ આપવામાં આવેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો. પરષોત્તમ રૂપાલા સામે શરૂ થયેલો વિવાદ ધીમે ધીમે ભાજપના વિરોધમાં પરિવર્તિત થઈ રહ્યો છે.. ભાજપ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે...


કિરીટ પટેલે આપ્યું વિવાદાસ્પદ નિવેદન

આ વિવાદને શાંત કરવા માટે ભાજપ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે કિરીટ પટેલ દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું.. રાજા અને રાણીને લઈ આપવામાં આવેલા નિવેદન બાદ તેમણે માફી પણ માગી... સવાલ એ થાય કે આવું બોલવું જ શું કામ છે કે જેને કારણે માફી માગવાની નોબત આવે..? મહત્વનું છે કે રાજ્યમાં હમણાં જે પરસ્થિતિ છે તેમાં આ પ્રકારનું નિવેદન આપવું આગમાં ઘી નાખવાનું કામ કરી શકે છે. નેતા જે પણ ઉપદ્દેશ સાથે બોલ્યા હોય પરંતુ તેમનું નિવેદન રાજ્યની પરિસ્થિતિને બગાડી શકે છે...!


અનેક ઉદાહરણો છે આપણી સામે જેમાં.... 

આપણે ત્યાં, આપણા ઈતિહાસમાં એવી કહાણીઓ મળી આવે છે જેમાં રાજા માટે પુત્ર નહીં પરંતુ પ્રજા સર્વોપરી હતી. રાજાનો પુત્ર રાજા જ હોવો જોઈએ તે વાતને વખોડી નાખે તેવા અનેક ઉદાહરણો આપણી સામે છે.. તેમાનું એક ઉદાહરણ રાજા ભરતનું છે... આ વાતને લઈ મળતા ઉલ્લેખ પ્રમાણે રાજા દુષ્યંત અને શકુંતલાના પુત્ર રાજા ભરતને પોતાના પુત્રોથી અસંતોષ હતો.. જેને કારણે તેમણે તેમને મારી નાખ્યા.. અને મરૂતોને પ્રસન્ન કરીને બૃહસ્પતિના ભારદ્વાજને દત્તક લીધા.. ભારદ્વાજના પુત્ર વિતથને રાજા ભરતના ગાદીના વારસ બનાવ્યા હતા..    આપણે ત્યાં એવી અનેક ઘટનાઓ બની જેણે આપણા ઈતિહાસને કલંકિત કરી છે.. આપણી જનતાએ જે ઘટના ઘટી છે તેનો સ્વીકાર કર્યો છે.. 


આપણે ત્યાં બોલવાની સ્વતંત્રતા છે એનો મતલબ એ નથી થતો કે... 

આજે આપણે લોકશાહીમાં જીવીએ છીએ... વાણી સ્વતંત્રતાનો અધિકાર આપણને મળ્યો છે તેનો મતલબ એ નથી થતો કે બેફામ રીતે પહેલા બોલવાનું અને પછી માફી માગી લેવાની...ત્યારે સવાલ એ થાય કે ક્ષત્રિય સમાજ ઉદારતા બતાવે તો એનો મતલબ એ તો નથી થતો કે કંઈક પર નિવેદન આપવાનું અને છેલ્લે માફી માગી લેવાની...!        



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.