Rajkot TRP Game Zoneમાં એક તરફ લોકો મરી રહ્યા હતા તો બીજી તરફ પોલીસના કર્મચારીઓએ બતાવ્યું કે ગુજરાતની સિસ્ટમમાં શું ચાલે છે?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-26 16:29:19

ગઈકાલથી ગુજરાતના લોકોની આંખો ફાટી નીકળી છે. અને હૃદયના ધબકારા ધીમા પડી ગયા છે...  કાલાવડ રોડ પર આવેલા TRP Game Zone માં લાગેલી વિનાશકારી આગે અનેક લોકોને નિરાધાર કરી મૂક્યા છે. ત્યારે એક વીડિયો સામે આવ્યો છે જોઈને આપણને પણ શરમ આવે અને સવાલ થાય કે કોઈ આટલી હદ સુધી કેવી રીતે નીચે પડી શકે? એક વીડિયો પોલીસનો સામે આવ્યો છે જેમાં સાહેબ માટે પોસીસ વાળા ખુરશી લાવી રહ્યા છે..!  

સાહેબ માટે ખુરશી લાવતા દેખાયા પોલીસ અધિકારી

રાજકોટમાં બનેલી ઘટનામાં અત્યાર સુધી 27થી વધુ લોકોના મોત થયા હોવાનો આંકડો સામે આવ્યો છે. તો બીજી તરફ Civil Hospitalમાં પરિવારજનો આક્રંદ સાથે સ્વજનોને શોધી રહ્યા છે...આટલી મોટી દૂર્ઘટના અને કમનસીબી શું કે આપણે કશુ જ કરી નથી શકતા પણ હા પોલીસ કર્મચારીઓ શું કરી રહ્યાં છે.... તો સિસ્ટમનો સડો આપણી સામે રજુ કરી રહ્યાં છે... એક તરફ જીવતા માણસો આગમાં બળી રહ્યાં હતા અને બીજી તરફ ઘટનાસ્થળે સાહેબ માટે ખુરશીઓ લાવતી પોલીસ દેખાઈ...! 



આ મામલે શું માનવું છે તમારૂં?

સવાલ એ છે કે આટલી મોટી ગંભીર દૂર્ઘટના જેણે આપણું હૈયું પણ આક્રંદથી ભરી દીધું.. જ્યારે સમાચાર સાંભળ્યા તો સમજમાં નહોતુ આવતું કે શું કરીએ... અને આ પોલીસ કર્મચારીઓ જુઓ... સાહેબ માટે ખુરશીની વ્યવસ્થા કરતા દેખાઈ રહ્યાં છે.!.. અત્યારે તો પહેલું કામ માનવતાનું હોય.... શું આ પોલીસ અધિકારીઓને આ પ્રકારની ટ્રેનિંગ કોણે આપી હશે... અને સવાલ તો એ પણ થાયને કે આટલી મોટી દૂર્ઘટનામાં જ્યારે માબાપ બોલી ન શકતા હોય આંખનું આંસુ નીકળી ન શક્તુ હોય તો શું સાહેબે ખુરશી મંગાવી હશે ....? ત્યારે આ વીડિયો પર તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવો... 




આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.