11 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન જશે મહાકાળના દર્શને


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 17:42:13

11 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉજ્જેન જવાના છે. પોતાના પ્રવાસ દરમિયાન પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ બાબા મહાકાલના નવનિર્મિત કોરિડોરનું લોકાર્પણ કરવાના છે. લોકાર્પણ થયા બાદ કોરિડોર લોકો માટે ખોલી દેવામાં આવશે. વડાપ્રધાનની મુલાકાતને લઈ અત્યારથી જ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આ અંગેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

Ujjain: Massive preparations for Gala event on October 11; PM to pay  obeisance to Baba Mahakal before dedicating Mahakal Corridor


કેબિનેટ પહેલા કરી સીએમએ જાહેરાત 

મંગળવારના રોજ કેબિનેટ બેઠક મળી હતી. જેમાં આ કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરવામાં આવે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ કહ્યું  કે મહાકાલ કોરિડોર હવેથી શ્રી મહાકાળ લોકના નામથી ઓળખવામાં આવશે.

 

2 તબક્કામાં કરાશે કામગીરી

Exclusive: काशी विश्वनाथ कॉरिडोर से भी भव्य बन रहा है उज्जैन का महाकाल  कॉरिडोर

 

મધ્યપ્રદેશના મુખ્યનંત્રીએ કહ્યું કે પ્રારંભિક તબક્કામાં અમે નાગરિકો સાથે ચર્ચા કરી, મંદિર સમિતિના સભ્યો સાથે ચર્ચા કરી તેમની સૂચનાઓના આધારે અમે યોજના બનાવી. અમે 2018માં ચૂંટણી પૂર્વે ટેન્ડરો મંગાવ્યા હતા. સરકાર બદલાવવાને કારણે કામ રોકાઈ ગયું હતું પરંતુ અમારી સરકાર બની અને તરત જ અમે એની સમીક્ષા કરી 2 તબક્કામાં કામ કરવાનો નિર્ણય કર્યો છે. પહેલા તબક્કામાં 351 કરોડ છે અને બીજા તબક્કા માટે સરકારે 310 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.

 




નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.