ગુજરાત સ્થાપના દિવસ પર જાણો એ આંદોલન વિશે જેને કારણે મહાગુજરાતમાં સ્થાપના થઈ બે રાજ્યોની! જાણો કોણે કરી ગુજરાત રાજ્યની સ્થાપના!


  • Published By :
  • Published Date : 2023-05-01 13:07:42

આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે. પહેલી મે 1960ના રોજ મહાગુજરાતમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતની સ્થાપના દિવસ પર વાત કરવી છે મહાગુજરાત આંદોલનની. ગુજરાતની માગ માટે છોકરાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિદ્યાર્થીઓ મહાગુજરાત આંદોલન પણ કરી શકે છે અને નવ નિર્માણ આંદોલનન પણ કરી શકે છે.     


ગુજરાત રાજ્ય સ્થાપવા માટે ચાલ્યું મહાગુજરાત આંદોલન! 

મહાગુજરાતમાંથી ગુજરાત અને મહારાષ્ટ્રને અલગ કરવા માટે આંદોલન ચલાવવામાં આવ્યું હતું. રાજ્યો અલગ કરવા માટે મહાગુજરાત આંદોલન 1956થી 1960 સુધી ચાલ્યું. જેમાં અનેક લોકો શહીદ થયા.. આપણે દિવસની ઉજવણી તો કરતા હોઈએ છીએ, વ્હોટસઅપ સ્ટેટસ પણ રાખી દઈએ છીએ કે ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા પરંતુ તેની સાથે જોડાયેલા ઈતિહાસ વિશે આપણને જાણકારી છે ખરી? આપણે એ ઈતિહાસને પણ ભૂલવો ના જોઈએ જ્યારે એ જ ગુજરાત માટે વિદ્યાર્થીઓએ બંદુક સામે પોતાની છાતી ધરી દીધી હતી....


અલગ રાજ્ય સ્થાપવા માટે વિદ્યાર્થીઓએ કર્યું આંદોલન!

આ આંદોલનને એટલા માટે પણ યાદ કરવું છે કારણ કે ભારતની આઝાદી પછી મહાગુજરાત આંદોલન ગુજરાતનું સૌથી મોટું આંદોલન હતું. જ્યારે આપણો દેશ બ્રિટિશરોની ગુલામી હેઠળ હતો ત્યારે અત્યારનો પશ્ચિમનો ભાગ બોમ્બે પ્રેસિડન્સી કહેવાતો હતો. આઝાદી પછી 6 ઓગસ્ટ 1956ના દિવસે મુંબઈ રાજ્યની સ્થાપના થઈ. જેમાં બે ભાષા બોલાતી હતી એક હતી મરાઠી અને બીજી હતી ગુજરાતી. ગુજરાતની ગુજરાતી પ્રજાને અલગ રાજ્ય ના મળતા તેમને આઘાત લાગ્યો હતો... જો કે મહારાષ્ટ્રની પરિસ્થિતિ પણ એવી હતી કારણ કે તેમને પણ મરાઠી ભાષા માટેનું અલગ રાજ્ય જોઈતું હતું. ત્યાં પણ આંદોલનો થયા હતા.. 


ઈન્દુલાલ યાજ્ઞિકે આંદોલનનો સંભાળ્યો મોરચો!

રાજ્ય સ્થાપનાના ઠીક એક દિવસ બાદ એટલે કે 7 ઓગસ્ટ 1956ના દિવસે છોકરાઓ કોંગ્રેસના ઠાકોર ભાઈ દેસાઈને મળ્યા... ઠાકોરભાઈ દેસાઈએ વિદ્યાર્થીઓને યોગ્ય જવાબ ના આપ્યો અને તેના કારણે જ હડતાળનું એલાન કરવામાં આવ્યું. અમદાવાદ શહેરના એલિસબ્રિજ ખાતે વિદ્યાર્થીઓનું 'લે કે રહેંગે મહાગુજરાત'ના નારા સાથે મોટું સરઘસ નિકળ્યું...તેના એક દિવસ પછી એટલે કે 8 ઓગસ્ટે અમદાવાદના ભદ્ર કિલ્લા પાસે છોકરાઓએ વિરોધ કર્યો... વિદ્યાર્થીઓનો વિરોધ હતો કોંગ્રેસ ભવન સામે... વિરોધ મોટા પાયે થઈ ગયો હતો... આંદોલને એટલું વિકરાળ સ્વરુપ લઈ લીધું હતું કે પોલેસે વિદ્યાર્થીઓ પર ગોળીઓનો મારો ચલાવ્યો... જેમાં પાંચ વિદ્યાર્થીઓના મોત થયા... આ સમયે ઈન્દુચાચા નિવૃત હતા પણ માગને જોતા ઈન્દુલાલ યાજ્ઞિકેએ મહાગુજરાત આંદોલનની બાગડોર પોતાના હાથમાં લીધી. 


પહેલી મેના રોજ મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યની થઈ સ્થાપના!

ઈન્દુચાચાની આગેવાનીથી ગુજરાતના લોકોને એક શક્તિ મળી...ગુજરાતના અનેક જગ્યા પર આંદોલનો થયા જેમાં 20થી વધુ યુવાનોએ જીવ ગુમાવ્યા. રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ, ઉપરાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણન અને જવાહરલાલ નહેરુ છેવટે બે અલગ ભાષાવાળા રાજ્યોની રચના કરવા માટે સહેમત થયા... આખરે પહેલી મે 1960ના દિવસે મહાગુજરાત આંદોલન સફળ નિવળ્યું અને બોમ્બે પ્રેસિડન્સીમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયા...


રવિશંકર મહારાજે કરી ગુજરાત રાજ્યની સ્થાપના!

મહારાજના નામે જાણીતા રવિશંકર વ્યાસ એટલે કે રવિશંકર મહારાજે અમદાવાદના સાબરમતી આશ્રમમાં નવા રાજ્યની સ્થાપના કરી... ગુજરાત સરકારે આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઘોષિત કર્યો છે અને દર વર્ષે વિવિધ જિલ્લાઓમાં તેની ઊજવણી કરવામાં આવે છે....આંદોલનના મુખ્ય ચહેરાઓને યાદ કરીએ તો નેતા તરીકે ઈન્દુલાલ યાજ્ઞિક હતા ત્યાર બાદ... સનત મહેતા, દિનકર મહેતા, વિદ્યાગૌરી નીલકંઠ, શારદાબહેન મહેતા, અશોક ભટ્ટ, બુદ્ધિબેન ધ્રુવ, રવિશંકર મહારાજ, બ્રહ્મકુમાર ભટ્ટ, પ્રબોધ રાવલ, હરિહર ખંભોળજા, દિનકર અમીન, રમણિકલાલ મણિયાર, રણજીતરાય શાસ્ત્રી, માર્કંડ શાસ્ત્રી હતા. ત્યારે જમાવટ પરિવાર તરફથી તમામ દર્શકોને ગુજરાત સ્થાપના દિવસની શુભકામનાઓ.  




હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.