દિવાળીમાં રાશનધારકોને વધારાનું 1 કિલો ખાંડ અને 1 લિટર તેલ અપાશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 18:29:05

દિવાળી નજીક છે અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ નજીક છે. કેજરીવાલની રેવડી અને ગેરંટીઓની બોલબાલા છે તેની વચ્ચે ગુજરાત સરકારના પ્રવક્તા જિતુ વાઘાણીએ જાહેરાત કરી છે કે રાશનધારકોને વધારાની એક કિલો ખાંડ અને એક લિટર તેલ રાહતદરે આપવામાં આવશે. 


આ રાહત દર કેટલો રહેશે?

દિવાળી નજીક જ છે ત્યારે ગુજરાત સરકારે નિર્ણય લીધો છે કે અંત્યોદય અને બીપીએલ એમ 32 લાખ લોકોને રાહત દરે 1 કિલો ખાંડ મળશે. 15 અને 22 રૂપિયાના દરે 1 કિલો ખાંડ આપવામાં આવશે. જ્યારે 100 રૂપિયાના દરે 1 લીટર સિંગતેલ આપવામાં આવશે. આ નિર્ણયનો લાભ ગુજરાતના 71 લાખ જેટલા લોકોને મળશે. 


કેન્દ્ર સરકાર વિનામૂલ્યે આપી રહી છે રાશન

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર ડિસેમ્બર સુધી 71 લાખ રાશનકાર્ડ ધારકોને 1 કિલો ઘઉં અને 4 કિલો ચોખા વિનામૂલ્યે વિતરણ કરી રહ્યું છે. જ્યારે રાહત દરે વિતરણ અને વિનામૂલ્યે વિતરણ અલગ-અલગ કરવામાં આવે છે. 

  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.