ધનતેરસે સોનું દેનાર જ લૂંટાયો , અમદાવાદ જ્વેલરી શો રૂમમાં સોનું ચોરાયું !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-23 15:54:38


અમદાવાદમાં ધનતેરસની રાતે સોનાની દુકાનમાં જ કારીગરોએ શેઠને બંધ કરીને દુકાનમાંથી 3 કિલો સોનાની લૂંટને અંજામ આપ્યો હતો. દુકાન માલિકે પોલીસને જાણ કરતા પોલીસ દુકાને પહોંચી હતી, ત્યારે બહારથી દાગીનાની લૂંટ કરી કારીગરી ફરાર થઇ ગયા હતા. સમગ્ર મામલે ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.


રાતે ચોરીને અંજામ આપ્યો ?

મોટેરા ગામમાં આવેલી અંજલી જ્વેલર્સ નામની દુકાનમાં ગઈકાલે ધનતેરસ હોવાથી રાત સુધી ગ્રાહકોની અવરજવર હતી, જે પૂરી થતાં રાતના 2 વાગે દુકાન મલિક મહેશ શાહ અને દુકાનના કારીગર સુરેન્દ્રસિંહ ઝાલા અને ચિરાગ બારોટ બધો સામાન સરખો મૂકી રહ્યા હતા. દુકાન માલિક મહેશ શાહ સ્ટ્રોંગ રૂમમાં દાગીના અને કેસ મૂકવા જતા હતા.


પોલીસે દુકાનદારને બહાર કાઢ્યા !!!

શેઠ જ્યારે દુકાનમાં ફસાયા ત્યારે તેમણે પોલીસને જાણ કરી હતી. શેઠને બંધ કરીને દુકાનમાં પડેલા સોનાના 3 કિલો દાગીનાની બંને કારીગરોએ લૂંટ કરી દીધી હતી. દુકાનના માલિક રૂમમાં બંધ હતા, જેથી તેમણે પોલીસને ફોન કર્યો હતો. પોલીસ આવી ત્યારે લૂંટ થઈ ચૂકી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને દુકાન માલિકને રૂમમાંથી બહાર કાઢ્યા હતા. 



ઉત્તરપ્રદેશના મુજ્જફરનગરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પત્નીએ પતિને ઝેર આપી દીધું. કેમ કે થોડાક સમય પેહલા પતિએ પત્નીનું અફેર પકડી પાડ્યું હતું . આ અફેરના લીધે બેઉ વચ્ચે લાંબા સમયથી ખટરાગ હતો . હવે પોલીસે પત્ની પર કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

૭.૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા મ્યાનમાર થી લઈને બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર અગાઉ કહી ચુક્યા છે કે , ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થવો જ જોઈએ. જોકે હવે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પતિ ઉષા વાન્સ ગ્રીનલેન્ડની મુલાકાતે જવાના છે તે પેહલા ગ્રીનલેન્ડના વડાપ્રધાનએ પણ આ મુલાકાતનો વિરોધ કર્યો છે . ગ્રીનલેન્ડ અમેરિકા માટે ખુબ મહત્વનું બન્યું છે કેમ કે , તેના કાંઠે રશિયન અને ચાઈનીઝ જહાજોની અવરજવર વધી ગઈ છે . તો હવે જોઈએ કે ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે કે કેમ.

અભિનેતા સલમાન ખાનની લોરેન્સ બિશ્નોઇ અંગે પેહલીવાર પ્રતિક્રિયા સામે આવી છે . આ પ્રતિક્રિયા "સિકંદર" ફિલ્મના પ્રમોશન દરમ્યાન સામે આવી હતી . લોરેન્સ બિશ્નોઇ અને સલમાન ખાન વચ્ચે ૧૯૯૮થી જ અદાવત ચાલી રહી છે કે જયારે ફિલ્મ "હમ સાથ સાથ હેના" શૂટિંગ દરમ્યાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો . આ કાળીયાર બિશ્નોઇ સમાજ માટે પવિત્ર ગણાય છે.