'મન કી બાત કાર્યક્રમ'ને 100 એપિસોડ પૂરા થવા પર મોદી સરકાર જાહેર કરશે 100 રૂપિયાનો સિક્કો! સરકારે આપી આ અંગે જાણકારી!


  • Published By :
  • Published Date : 2023-04-21 10:55:04

મહિનાના અંતિમ રવિવારે રેડિયો પર વડાપ્રધાન મોદી મન કી બાત કાર્યક્રમ કરે છે. રેડિયોના માધ્યમથી પોતાની વાત લોકો સુધી પહોંચાડે છે. ત્યારે 30 એપ્રિલે મન કી બાત કાર્યક્રમના 100 એપિસોડ પૂરા થવાના છે. તેને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા 100 રુપિયાનો સિક્કો બહાર પાડવામાં આવશે. સિક્કા પર લખવામાં આવ્યું હશું 'મન કી બાત 100'. તે સિવાય માઈક પણ બનાવામાં આવ્યું હશે અને 2023 પણ સિક્કા પર લખવામાં આવ્યું હશે.        

Image

100માં એપિસોડને લઈ ભાજપ દ્વારા કરવામાં આવી છે વિશેષ તૈયારી!

ઓક્ટોબર 2014 થી પ્રથમ વખત વડાપ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રની શરૂઆત કરી હતી. ત્યારે 30 એપ્રિલે આ મન કી બાત કાર્યક્રમને 100 એપિસોડ પૂરા થવા જઈ રહ્યા છે. 100 એપિસોડ પૂરા થતા 100 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવવાનો છે. આ સિક્કાની વાત કરીએ તો સિક્કાની ગોળાઈ 44 મિલીમીટરની હશે. રજત, તાંબુ, નિકલ અને જસતનું મિશ્રણનો ઉપયોગ આ સિક્કાને બનાવવા માટે કરવામાં આવ્યો છે. સોમાં એપિસોડનું પ્રસારણ લાખો લોકો જોવે તેવી વ્યવસ્થા ભાજપ દ્વારા કરવામાં આવી છે.એક લાખ જેટલા બૂથ પર આનું પ્રસારણ કરવામાં આવે તેવી યોજના ભાજપ દ્વારા કરવામાં આવી છે. 

પૂર્વ PM અટલજીના સન્માનમાં પીએમ મોદીએ લોન્ચ કર્યો 100 રૂપિયાનો સ્મારક સિક્કો

News & Views :: મોદી સરકારે બહાર પાડ્યો 100 રૂપિયાનો સિક્કો, જાણો બાકી  સિક્કાથી કઈ રીતે છે અલગ

આની પહેલા પણ બહાર પાડવામાં આવ્યો છે 100 રૂપિયાનો સિક્કો! 

આ પ્રથમ વખત નથી જ્યારે 100 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવશે. આની પહેલા અનેક વખત 100 રુપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો છે. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપૈયીને યાદ કરવા થોડા વર્ષો પહેલા મોદી સરકારે 100 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો હતો. તે ઉપરાંત રાજમાતા વિજયારાજે સિંધિયાની જન્મ શતાબ્દી પર પણ 100 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો હતો. તે સિવાય પણ અનેક ખાસ દિવસો તેમજ મોકાઓ પર 100 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો છે.   



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!