'મન કી બાત કાર્યક્રમ'ને 100 એપિસોડ પૂરા થવા પર મોદી સરકાર જાહેર કરશે 100 રૂપિયાનો સિક્કો! સરકારે આપી આ અંગે જાણકારી!


  • Published By :
  • Published Date : 2023-04-21 10:55:04

મહિનાના અંતિમ રવિવારે રેડિયો પર વડાપ્રધાન મોદી મન કી બાત કાર્યક્રમ કરે છે. રેડિયોના માધ્યમથી પોતાની વાત લોકો સુધી પહોંચાડે છે. ત્યારે 30 એપ્રિલે મન કી બાત કાર્યક્રમના 100 એપિસોડ પૂરા થવાના છે. તેને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા 100 રુપિયાનો સિક્કો બહાર પાડવામાં આવશે. સિક્કા પર લખવામાં આવ્યું હશું 'મન કી બાત 100'. તે સિવાય માઈક પણ બનાવામાં આવ્યું હશે અને 2023 પણ સિક્કા પર લખવામાં આવ્યું હશે.        

Image

100માં એપિસોડને લઈ ભાજપ દ્વારા કરવામાં આવી છે વિશેષ તૈયારી!

ઓક્ટોબર 2014 થી પ્રથમ વખત વડાપ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રની શરૂઆત કરી હતી. ત્યારે 30 એપ્રિલે આ મન કી બાત કાર્યક્રમને 100 એપિસોડ પૂરા થવા જઈ રહ્યા છે. 100 એપિસોડ પૂરા થતા 100 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવવાનો છે. આ સિક્કાની વાત કરીએ તો સિક્કાની ગોળાઈ 44 મિલીમીટરની હશે. રજત, તાંબુ, નિકલ અને જસતનું મિશ્રણનો ઉપયોગ આ સિક્કાને બનાવવા માટે કરવામાં આવ્યો છે. સોમાં એપિસોડનું પ્રસારણ લાખો લોકો જોવે તેવી વ્યવસ્થા ભાજપ દ્વારા કરવામાં આવી છે.એક લાખ જેટલા બૂથ પર આનું પ્રસારણ કરવામાં આવે તેવી યોજના ભાજપ દ્વારા કરવામાં આવી છે. 

પૂર્વ PM અટલજીના સન્માનમાં પીએમ મોદીએ લોન્ચ કર્યો 100 રૂપિયાનો સ્મારક સિક્કો

News & Views :: મોદી સરકારે બહાર પાડ્યો 100 રૂપિયાનો સિક્કો, જાણો બાકી  સિક્કાથી કઈ રીતે છે અલગ

આની પહેલા પણ બહાર પાડવામાં આવ્યો છે 100 રૂપિયાનો સિક્કો! 

આ પ્રથમ વખત નથી જ્યારે 100 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવશે. આની પહેલા અનેક વખત 100 રુપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો છે. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપૈયીને યાદ કરવા થોડા વર્ષો પહેલા મોદી સરકારે 100 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો હતો. તે ઉપરાંત રાજમાતા વિજયારાજે સિંધિયાની જન્મ શતાબ્દી પર પણ 100 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો હતો. તે સિવાય પણ અનેક ખાસ દિવસો તેમજ મોકાઓ પર 100 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.