જનતા વતી જમાવટે અમદાવાદ પૂર્વના ઉમેદવારોને પૂછ્યો સવાલ, તેમની પાસેથી સાંભળો તમારા માટે શું કામ કરશે આગામી પાંચ વર્ષ દરમિયાન?


  • Published By :
  • Published Date : 2024-04-24 15:49:00

લોકસભા ચૂંટણીનો  માહોલ ગુજરાતમાં બની રહ્યો છે.. ઉમેદવારો પ્રચારમાં લાગી ગયા છે.. પોતાના પક્ષ તરફ મતદાતાઓને આકર્ષવા માટે અનેક વચનો આપવામાં આવશે,, વાયદાઓ કરવામાં આવશે કે જો અમારી પાર્ટી સત્તામાં આવી તો અમે આમ કરીશું વગેરે વગેરે... પ્રચાર દરમિયાન વિપક્ષ પર પણ પ્રહાર કરાશે.. ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક મુદ્દાઓ ઉઠાવવામાં આવતા હોય છે પરંતુ એવા મુદ્દાઓની વાત નથી કરવામાં આવતી જેની સીધી અસર મતદારના જીવન પર પડતી હોય છે....

જમાવટની એક નવી પહેલ 

મત આપવા જતા મતદાતાના મનમાં પ્રશ્ન હોય છે કે આગમી વર્ષોમાં તેમના વિસ્તારમાં કયા કામો કરવામાં આવશે... ઉમેદવાર કયા વિઝન સાથે આગળ વધશે તે જાણવા માટે ગુજરાત લોકસભા બેઠકોના ઉમેદવારોને ફોન જમાવટની ટીમ દ્વારા કરવામાં આવ્યો.. અમદાવાદ પૂર્વના ભાજપના તેમજ કોંગ્રેસના ઉમેદવારને ફોન કર્યો અને જાણવાની કોશિશ કરી કે જો તે સાંસદ બની જાય છે તો પોતાના મતવિસ્તારનો વિકાસ કરવા કયા કામો કરશે.. અમદાવાદ પૂર્વ પર ભાજપે હસમુખ પટેલને જ્યારે કોંગ્રેસે હિંમતસિંહ પટેલને ટિકીટ આપી.. 


આ વિઝન સાથે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર  લડશે ચૂંટણી! 

ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર હિંમતસિંહને જ્યારે પૂછવામાં આવ્યું કે આગામી પાંચ વર્ષમાં કયા વિઝન સાથે તે આગળ વધશે તો તેમણે જણાવ્યું તેમના મતવિસ્તારમાં ભિન્ન ભિન્ન વ્યવસાય ધરાવતા લોકો વસે છે... લોકોને સારવાર મળી શકે તેવી કોઈ સરકારી હોસ્પિટલ નથી બની.. તેમણે વાત કરતી વખતે ભાજપ કેટલા વર્ષોથી શાસનમાં છે તેની વાત કરી હતી. તે ઉપરાંત સરકારી શાળા, કોલેજની પણ વાત કરી હતી. પૂર્વ વિસ્તારમાં રોજગારી ઉભી થાય તે માટે વ્યવસ્થા કરશે તેવી વાત કરી હતી.


શું છે ભાજપના ઉમેદવારનું વિઝન?

મેડિકલ કોલેજ બને, બધી જ શાળાઓ સ્માર્ટ શાળામાં પરિવર્તિત થાય એ દિશામાં મારા પ્રયત્નો છે. યુવાનોને રોજગારી મળે તે દિશમાં તે કામ કરશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી. મહત્વનું છે કે ભાજપના ઉમેદવાર હસમુખ પટેલને આ વખતે રિપીટ કરવામાં આવ્યા છે...  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.