જનતા વતી જમાવટે અમદાવાદ પૂર્વના ઉમેદવારોને પૂછ્યો સવાલ, તેમની પાસેથી સાંભળો તમારા માટે શું કામ કરશે આગામી પાંચ વર્ષ દરમિયાન?


  • Published By :
  • Published Date : 2024-04-24 15:49:00

લોકસભા ચૂંટણીનો  માહોલ ગુજરાતમાં બની રહ્યો છે.. ઉમેદવારો પ્રચારમાં લાગી ગયા છે.. પોતાના પક્ષ તરફ મતદાતાઓને આકર્ષવા માટે અનેક વચનો આપવામાં આવશે,, વાયદાઓ કરવામાં આવશે કે જો અમારી પાર્ટી સત્તામાં આવી તો અમે આમ કરીશું વગેરે વગેરે... પ્રચાર દરમિયાન વિપક્ષ પર પણ પ્રહાર કરાશે.. ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક મુદ્દાઓ ઉઠાવવામાં આવતા હોય છે પરંતુ એવા મુદ્દાઓની વાત નથી કરવામાં આવતી જેની સીધી અસર મતદારના જીવન પર પડતી હોય છે....

જમાવટની એક નવી પહેલ 

મત આપવા જતા મતદાતાના મનમાં પ્રશ્ન હોય છે કે આગમી વર્ષોમાં તેમના વિસ્તારમાં કયા કામો કરવામાં આવશે... ઉમેદવાર કયા વિઝન સાથે આગળ વધશે તે જાણવા માટે ગુજરાત લોકસભા બેઠકોના ઉમેદવારોને ફોન જમાવટની ટીમ દ્વારા કરવામાં આવ્યો.. અમદાવાદ પૂર્વના ભાજપના તેમજ કોંગ્રેસના ઉમેદવારને ફોન કર્યો અને જાણવાની કોશિશ કરી કે જો તે સાંસદ બની જાય છે તો પોતાના મતવિસ્તારનો વિકાસ કરવા કયા કામો કરશે.. અમદાવાદ પૂર્વ પર ભાજપે હસમુખ પટેલને જ્યારે કોંગ્રેસે હિંમતસિંહ પટેલને ટિકીટ આપી.. 


આ વિઝન સાથે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર  લડશે ચૂંટણી! 

ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર હિંમતસિંહને જ્યારે પૂછવામાં આવ્યું કે આગામી પાંચ વર્ષમાં કયા વિઝન સાથે તે આગળ વધશે તો તેમણે જણાવ્યું તેમના મતવિસ્તારમાં ભિન્ન ભિન્ન વ્યવસાય ધરાવતા લોકો વસે છે... લોકોને સારવાર મળી શકે તેવી કોઈ સરકારી હોસ્પિટલ નથી બની.. તેમણે વાત કરતી વખતે ભાજપ કેટલા વર્ષોથી શાસનમાં છે તેની વાત કરી હતી. તે ઉપરાંત સરકારી શાળા, કોલેજની પણ વાત કરી હતી. પૂર્વ વિસ્તારમાં રોજગારી ઉભી થાય તે માટે વ્યવસ્થા કરશે તેવી વાત કરી હતી.


શું છે ભાજપના ઉમેદવારનું વિઝન?

મેડિકલ કોલેજ બને, બધી જ શાળાઓ સ્માર્ટ શાળામાં પરિવર્તિત થાય એ દિશામાં મારા પ્રયત્નો છે. યુવાનોને રોજગારી મળે તે દિશમાં તે કામ કરશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી. મહત્વનું છે કે ભાજપના ઉમેદવાર હસમુખ પટેલને આ વખતે રિપીટ કરવામાં આવ્યા છે...  



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કની સામે જોરદાર વિરોધ જોવા મળી રહ્યો છે. અમેરિકાના બધા જ ૫૦ રાજ્યોમાં તેમનો વિરોધ થયો છે. હવે ઈલોન મસ્કે ટેરિફને લઇને પોતાના સુર બદલ્યા છે. તો આ તરફ ચાઈનાએ કાઉંટર ટેરિફ અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફ પર લગાડ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શ્રીલંકાનું સૌથી ઉચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યું છે.

વાત કરીએ વિશ્વની તો ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વિસ્ફોટના કારણે ત્યાં મહામંદી આવવાના એંધાણ છે. કેમ કે આજથી ૯૫ વર્ષ પેહલા અમેરિકામાં ટેરિફ લગાવવા પર ત્યાં ભયંકર મંદી આવી હતી. કેરેબિયન સમુદ્રનો એક દેશ જેનું નામ છે , હૈતી કે જ્યાં દેખાવકારોએ ત્યાં ગેંગસ્ટરોની સામે જોરદાર દેખાવો કર્યા છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીમસ્ટેકની સમિટમાં ભાગ લેવા થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં પહોંચ્યા છે . ઉપરાંત વાત કરીએ ઓસ્ટ્રેલિયાની તો ત્યાંના પીએમ એન્થની આલ્બાનીઝ ચૂંટણી પ્રચાર દરમ્યાન પડી ગયા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પએ જે "ટેરિફ વિસ્ફોટ" કર્યો છે હવે તેની સામે વિશ્વના દેશોએ અલગ અલગ તૈયારી કરી છે જેમ કે ચાઇના આ ટેરિફને લઇને કાઉન્ટર ટેરિફ અમેરિકા પર લગાવશે જયારે ઓસ્ટ્રેલિયા ટ્રમ્પ સાથે ચર્ચા કરશે .

હવે અમેરિકા આ બધા જ દેશ પર કેટલો ટેરિફ લગાડવા જઈ રહ્યું છે તે પણ જણાવ્યું હતું. ભારત,અમેરિકન વસ્તુઓ ઉપર ૫૨% ટેરિફ લગાડે છે,જયારે હવે અમેરિકા ડીસ્કાઉન્ટ સાથે હવેથી ભારતની અમેરિકામાં થતી નિકાસો ૨૬% ટેરિફ વસુલશે.વ્હાઇટ હાઉસ દ્વારા આ ટેરિફ અમલીકરણ એપ્રિલની ૫મી તારીખથી શરુ થશે.અમેરિકાએ આ તમામ દેશ ઉપર ૧૦% ફ્લેટ ટેરિફ લગાડ્યો છે. આ ટેરીફનો અમલ એપ્રિલની ૯મી તારીખથી શરુ થશે.ભારત માટે શરૂઆતમાં ૫મી એપ્રિલથી ૧૦ ટકા ટેરિફ લાગશે અને પછી એપ્રિલની ૯મી તારીખથી બીજો ૧૬ ટકા ટેરિફ ઉમેરાશે. આમ ભારત ઉપર ટોટલ ૨૬ ટકા ટેરીફનું અમલીકરણ શરુ થઈ જશે.