Chaitar Vasava વતી Gopal Italia ભરૂચનાં ગામે ગામ ફરી ચૂંટણી પ્રચાર કરશે! સાંભળો શું કહ્યું Gopal Italiyaએ?


  • Published By :
  • Published Date : 2023-12-12 11:32:41

ભરૂચનું રાજકારણ હંમેશા ચર્ચામાં રહે છે. વસાવા Vs વસાવા વચ્ચેનો જંગ અનેક વખત જોવા મળતો હોય છે. ચૈતર વસાવા વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી જે બાદ તેઓ ફરાર છે. પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. ચૈતર વસાવાને લઈ મનસુખ વસાવાએ અનેક વખત નિવેદન આપ્યા છે. ચૈતર વસાવાના સમર્થનમાં આપના અનેક નેતાઓ આવ્યા છે. એવી ચર્ચાઓ ચાલતી હતી કે ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે, પરંતુ આ અંગેની જાહેરાત ગોપાલ ઈટાલિયા દ્વારા કરવામાં આવી છે. ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે ભરૂચ લોકસભાના એક એક ગામમાં જઈને ચૈતર વસાવાને લોકસભા ચૂંટણી જીતાડવા માટે મહેનત કરવાની શરૂઆત કરવામાં આવશે.

ચૈતર વસાવા અંગે ગોપાલ ઈટાલિયાએ કહી આ વાત

આવનાર સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા ચૂંટણીને લઈ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પણ લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા પ્રચાર કરવામાં આવશે. ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે તેવી જાહેરાત ગોપાલ ઈટાલિયા દ્વારા કરવામાં આવી છે. ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે સર્વનું માનવું છે કે માત્ર પોલીસ અને કોર્ટ કચેરીથી ન્યાયના ભરોષે બેસી રહેવાય તેમ નથી. માટે ચૈતર વસાવાને સાંસદ સભ્ય બનાવીને ન્યાય મેળવીશું તેવો સંકલ્પ કરવામાં આવ્યો છે.  


ચૈતર વસાવાને સાંસદ બનાવા કરાઈ જાહેરાત!  

વધુમાં ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતર વસાવા પર ખૂબ જ અત્યાચાર કરવામાં આવી રહ્યા છે. જેના વિરૂદ્ધમાં આમ આદમી પાર્ટીએ આ અત્યાચારના જવાબમાં એ નિર્ણય લીધો છે કે આવનારી લોકસભા ચૂંટણીમાં ચૈતર વસાવાને સંસદ સભ્ય બનાવીને ન્યાય મેળવવામાં આવશે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.