Chaitar Vasava વતી Gopal Italia ભરૂચનાં ગામે ગામ ફરી ચૂંટણી પ્રચાર કરશે! સાંભળો શું કહ્યું Gopal Italiyaએ?


  • Published By :
  • Published Date : 2023-12-12 11:32:41

ભરૂચનું રાજકારણ હંમેશા ચર્ચામાં રહે છે. વસાવા Vs વસાવા વચ્ચેનો જંગ અનેક વખત જોવા મળતો હોય છે. ચૈતર વસાવા વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી જે બાદ તેઓ ફરાર છે. પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. ચૈતર વસાવાને લઈ મનસુખ વસાવાએ અનેક વખત નિવેદન આપ્યા છે. ચૈતર વસાવાના સમર્થનમાં આપના અનેક નેતાઓ આવ્યા છે. એવી ચર્ચાઓ ચાલતી હતી કે ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે, પરંતુ આ અંગેની જાહેરાત ગોપાલ ઈટાલિયા દ્વારા કરવામાં આવી છે. ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે ભરૂચ લોકસભાના એક એક ગામમાં જઈને ચૈતર વસાવાને લોકસભા ચૂંટણી જીતાડવા માટે મહેનત કરવાની શરૂઆત કરવામાં આવશે.

ચૈતર વસાવા અંગે ગોપાલ ઈટાલિયાએ કહી આ વાત

આવનાર સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા ચૂંટણીને લઈ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પણ લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા પ્રચાર કરવામાં આવશે. ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે તેવી જાહેરાત ગોપાલ ઈટાલિયા દ્વારા કરવામાં આવી છે. ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે સર્વનું માનવું છે કે માત્ર પોલીસ અને કોર્ટ કચેરીથી ન્યાયના ભરોષે બેસી રહેવાય તેમ નથી. માટે ચૈતર વસાવાને સાંસદ સભ્ય બનાવીને ન્યાય મેળવીશું તેવો સંકલ્પ કરવામાં આવ્યો છે.  


ચૈતર વસાવાને સાંસદ બનાવા કરાઈ જાહેરાત!  

વધુમાં ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતર વસાવા પર ખૂબ જ અત્યાચાર કરવામાં આવી રહ્યા છે. જેના વિરૂદ્ધમાં આમ આદમી પાર્ટીએ આ અત્યાચારના જવાબમાં એ નિર્ણય લીધો છે કે આવનારી લોકસભા ચૂંટણીમાં ચૈતર વસાવાને સંસદ સભ્ય બનાવીને ન્યાય મેળવવામાં આવશે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!