અમદાવાદના આંબલી-બોપલ રોડ પર દારૂ પીને નબીરાએ અનેક વાહનોને લીધા અડફેટે, મોટી ઘટના થતા થતાં રહી ગઈ...


  • Published By :
  • Published Date : 2024-11-25 13:37:10

ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ અનેક ઘટનાઓ એવી સામે આવે છે જેને કારણે આ વાત ખોટી સાબિત થઈ રહી છે.. દારૂ પીને અનેક લોકો વાહન ચલાવે છે અને અકસ્માત સર્જે છે.... રસ્તાને પોતાના બાપની જાગીર સમજે છે અને બેફામ રીતે દારૂ પીને ગાડી ચલાવે છે.. નબીરાઓ બેફામ બન્યા છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો.... જે નબીરાએ આ અકસ્માત સર્જ્યો છે તેનું નામ છે રિપલ પંચાલ... આની પહેલા પણ તેના વિરૂદ્ધ ફરિયાદ થઈ હતી.. 

અનેક વાહનોને લીધા અડફેટે!

રફ્તારનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે... લોકો બેફામ બની રસ્તા પર વાહન ચલાવે છે અને લોકોના જીવ જોખમમાં મૂકે છે.... થોડા સમય બનેલો તથ્યકાંડ કેસ આપણને યાદ છે ત્યારે આજે તેવો જ અકસ્માત થતા થતા રહી ગયો તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી... આંબલી-બોપલ રોડ પર નબીરાએ અકસ્માત સર્જ્યો છે. વૈભવી ઓડી કારચાલકે પાંચ જેટલા વાહનોને અડફેટે લીધા હોવાની માહિતી સામે આવી છે... ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..   


કાયદાનો નબીરાઓને નથી ડર! 

મહત્વનું છે કે જ્યારે આવા નબીરાઓ બેફામ બની ડ્રાઈવિંગ કરે છે ત્યારે તે સીધો પડકાર પોલીસને કરે છે.. કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથડી રહી છે તેવું કહીએ તો પણ આપણે ખોટા સાબિત નહીં થઈએ.. રાજ્યમાં બેફામ દારૂ પીને લોકો ગાડી ચલાવી રહ્યા છે અને બીજા લોકોના જીવને જોખમમાં મૂકે છે.. પોલીસને પડકાર કરતા આ લોકો સામે પોલીસ કેવી કાર્યવાહી કરશે તેની પર નજર છે..સવાલ થાય કે કાયદાનું પાલન લોકો કરે તે માટે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે?   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે