Adivasi Divas પર જાણો એ આદિવાસી ઘડિયાળ વિશે જેના કાંટા અને અંક હોય છે સામાન્ય ઘડિયાળ કરતા વિરૂદ્ધ દિશામાં...


  • Published By :
  • Published Date : 2023-08-09 15:41:43

આજે આદિવાસી દિવસ છે.. આજે વાત કરવી છે આદિવાસી પરંપરાની.. આદિવાસી ઘડિયાળની... આપણા બધાના ઘરમાં ઘડિયાળ તો હશે જ, પણ આ અનોખી ઘડિયાળ છે કારણ કે આ ઘડિયાળમાં 12 પછી 11 પછી 10 એ રીતે આંકળા છે. 


આદિવાસી ઘડિયાળમાં ઉંધા હોય છે આંકડા 

આ ઘડિયાળ જોઈને લાગશે કે આ ઘડિયાળ ઉંધી હશે. પરંતુ ના આ ઘડિયાળ પણ ઉંધી નથી અને તમે પણ ઉંધા નથી. આ ઘડિયાળ આપણને ઉંધી એટલા માટે લાગે છે કારણ કે આ ઘડિયાળ સામાન્ય ઘડિયાળ કરતા અલગ છે. આદિવાસી દિવસ નિમિત્તે આજે તમને આદિવાસી ઘડિયાળ સાથે પરિચય કરાવો છે. આદિવાસીઓમાં આ ઘડિયાળનું આગવું મહત્વ છે સામાન્ય ઘડીયાળ કરતાં ઉલ્ટી દિશા માં એટલે કે જમણે થી ડાબે તેના આંકડા છે અને કાંટાઓ પણ જમણે થી ડાબે ડ ફરે છે. આ પ્રકૃતિની દિશા માં ફરતી ઘડિયાળ માનવમાં આવે છે


દાહોદમાં આદિવસી સંસ્કૃતિની ઝલક જોવા મળે છે...  

આદિવાસી સમાજના રીતરિવાજ અને પહેરવેશથી લઈ તેમની પરંપરા, તેમના વાજિંત્રો, તેમના તહેવારો એકદમ અનોખા હોય છે. દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. ત્યારે આદિવાસી સમાજની સંસ્કૃતિ અને પરંપરાની ઝાંખી અહી જોવા મળતી હોય છે. આદિવાસી સમાજ પ્રકૃતિ પૂજક સમાજ છે અને પ્રકૃતિને વરેલા હોય છે, ત્યારે તેના સંદેશ સાથે આદિવાસી સમાજમાં આદિવાસી ઘડિયાળ પણ ચલણમાં આવી છે.


પ્રકૃતિના નિયમોને ધ્યાનમાં રાખી બનાવાઈ આ ઘડિયાળ!

આદિવાસી ઘડીયાળની ખાસિયત એ છે કે તેમાં લખેલા અંક જમણે થી ડાબી તરફ હોય છે અને તેના કાંટા પણ જમણે થી ડાબી તરફ ફરતા હોય છે. સામાન્ય રીતે ઘડિયાળના આંકળા અને કાંટા ડાબેથી જમણી તરફ ફરતા હોય છે ત્યારે આ ઘડીયાળના પ્રતિક સાથે આદિવાસી સમાજ એ સંદેશ આપે છે કે કુદરતના નિયમ પ્રમાણે દરેક કાર્યો જમણે થી ડાબે થતાં હોય છે.



આદિવાસી પરંપરા વિશે નવી પેઢી જાણે તેવો પ્રયાસ

આ સમાચાર બતાવવાનો હેતુ એ છે કે આજની પેઢીને આ કલ્ચર વિશે ખબર પડે, આદિવાસી રિતરિવાજો વિશે ખબર પડે, તેમની પરંપરા વિશે ખ્યાલ આવે. નવી પેઢીમાં આદિવાસી પરંપરા અને સંસ્કૃતિ લુપ્ત ના થાય અને એ લોકો પણ આદિવાસી સંસ્કૃતિને સમજે અને જાણે તે માટે આ વાત આદિવાસી દિવસ નિમિત્તે કરી રહ્યા છીએ.  



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.