Adivasi Divas પર જાણો એ આદિવાસી ઘડિયાળ વિશે જેના કાંટા અને અંક હોય છે સામાન્ય ઘડિયાળ કરતા વિરૂદ્ધ દિશામાં...


  • Published By :
  • Published Date : 2023-08-09 15:41:43

આજે આદિવાસી દિવસ છે.. આજે વાત કરવી છે આદિવાસી પરંપરાની.. આદિવાસી ઘડિયાળની... આપણા બધાના ઘરમાં ઘડિયાળ તો હશે જ, પણ આ અનોખી ઘડિયાળ છે કારણ કે આ ઘડિયાળમાં 12 પછી 11 પછી 10 એ રીતે આંકળા છે. 


આદિવાસી ઘડિયાળમાં ઉંધા હોય છે આંકડા 

આ ઘડિયાળ જોઈને લાગશે કે આ ઘડિયાળ ઉંધી હશે. પરંતુ ના આ ઘડિયાળ પણ ઉંધી નથી અને તમે પણ ઉંધા નથી. આ ઘડિયાળ આપણને ઉંધી એટલા માટે લાગે છે કારણ કે આ ઘડિયાળ સામાન્ય ઘડિયાળ કરતા અલગ છે. આદિવાસી દિવસ નિમિત્તે આજે તમને આદિવાસી ઘડિયાળ સાથે પરિચય કરાવો છે. આદિવાસીઓમાં આ ઘડિયાળનું આગવું મહત્વ છે સામાન્ય ઘડીયાળ કરતાં ઉલ્ટી દિશા માં એટલે કે જમણે થી ડાબે તેના આંકડા છે અને કાંટાઓ પણ જમણે થી ડાબે ડ ફરે છે. આ પ્રકૃતિની દિશા માં ફરતી ઘડિયાળ માનવમાં આવે છે


દાહોદમાં આદિવસી સંસ્કૃતિની ઝલક જોવા મળે છે...  

આદિવાસી સમાજના રીતરિવાજ અને પહેરવેશથી લઈ તેમની પરંપરા, તેમના વાજિંત્રો, તેમના તહેવારો એકદમ અનોખા હોય છે. દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. ત્યારે આદિવાસી સમાજની સંસ્કૃતિ અને પરંપરાની ઝાંખી અહી જોવા મળતી હોય છે. આદિવાસી સમાજ પ્રકૃતિ પૂજક સમાજ છે અને પ્રકૃતિને વરેલા હોય છે, ત્યારે તેના સંદેશ સાથે આદિવાસી સમાજમાં આદિવાસી ઘડિયાળ પણ ચલણમાં આવી છે.


પ્રકૃતિના નિયમોને ધ્યાનમાં રાખી બનાવાઈ આ ઘડિયાળ!

આદિવાસી ઘડીયાળની ખાસિયત એ છે કે તેમાં લખેલા અંક જમણે થી ડાબી તરફ હોય છે અને તેના કાંટા પણ જમણે થી ડાબી તરફ ફરતા હોય છે. સામાન્ય રીતે ઘડિયાળના આંકળા અને કાંટા ડાબેથી જમણી તરફ ફરતા હોય છે ત્યારે આ ઘડીયાળના પ્રતિક સાથે આદિવાસી સમાજ એ સંદેશ આપે છે કે કુદરતના નિયમ પ્રમાણે દરેક કાર્યો જમણે થી ડાબે થતાં હોય છે.



આદિવાસી પરંપરા વિશે નવી પેઢી જાણે તેવો પ્રયાસ

આ સમાચાર બતાવવાનો હેતુ એ છે કે આજની પેઢીને આ કલ્ચર વિશે ખબર પડે, આદિવાસી રિતરિવાજો વિશે ખબર પડે, તેમની પરંપરા વિશે ખ્યાલ આવે. નવી પેઢીમાં આદિવાસી પરંપરા અને સંસ્કૃતિ લુપ્ત ના થાય અને એ લોકો પણ આદિવાસી સંસ્કૃતિને સમજે અને જાણે તે માટે આ વાત આદિવાસી દિવસ નિમિત્તે કરી રહ્યા છીએ.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે