1 એપ્રિલથી ભંગાર થઈ જશે 15 વર્ષ જૂના વાહનો, વાહનો માટે ફિટનેસ સર્ટિ અનિવાર્ય


  • Published By :
  • Published Date : 2023-02-07 20:07:32

દેશ અને રાજ્યમાં 15 વર્ષથી જૂના વાહનો અને બસોનું રજિસ્ટ્રેશન 1 એપ્રિલથી રદ કરવામાં આવશે અને તેને ભંગાર કરવામાં આવશે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે 1 એપ્રિલ, 2023થી પંદર વર્ષથી જૂના તમામ વાહનો ભંગાર થઈ જશે અને તેમનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવશે. નવી સ્ક્રેપ પોલીસી મુજબ 10 વર્ષ જૂના કોમર્શિયલ વ્હિકલ અને અને 15 વર્ષ જૂના પ્રાઈવેટ વાહનોએ ફિટનેસ ટેસ્ટ આપવો પડશે. જો વાહન ટેસ્ટમાં પાસ થઈ જશે તો ચલાવવાની મંજૂરી મળશે પણ જો ફેલ થશે તો ભંગારવાડામાં જશે.


15 વર્ષ જૂના વાહનો ભંગારવાડે 


ગુજરાતના 15 વર્ષ જૂના 20 લાખ ભારે વાહનો ભંગારવાડે જવાના છે કારણ કે તે સ્ક્રેપ પોલીસી મુજબ અનફીટ છે. ભારે વાહનો એટલે ટ્રક ટેમ્પો બસ જેવા વાહનોનો સમાવેશ થાય છે. ટેસ્ટમાં એંજીનની હાલત, તેનાથી નિકળતો ધુમાડો, પેટ્રોલ ની ખપત, વાહનના સેફ્ટી ફિચર્સ તે બધાની તપાસ થશે. જો આમાં ખામી હશે તો વાહનનું રજિસ્ટ્રેશન કેન્સલ થઈ જશે અને ગાડી સીધી ભંગારવાડે લઈ જવું પડશે.


રાજ્યમાં સ્ક્રેપ સેન્ટર ખૂલ્યા 


ગુજરાતમાં આવા લગભગ બાજુ 20 લાખ જૂના વાહનો છે, પણ આપણે ત્યાં તો હજુ સુધી ચાર જ સર્ટિફિકેટવાળા ભંગારવાડા ખુલ્યા છે. આ ફિટનેસ સર્ટિનું સર્ટિફિકેટ આપતા ભંગારવાડા સુરત, અમરેલી, ભુજ, અને ભરૂચમાં ખુલ્યા છે. ભંગારવાડામાં જો કોઈ વાહન જશે તો સ્ક્રેપ સર્ટિફિકેટ પણ અપાશે. જે  બે વર્ષ સુધી ચાલશે. જો જૂની ગાડી ભંગારમાં જતી રહેશે ત્યારે નવી ગાડી ખદીદતી વખતે આ સ્ક્રેપ સર્ટિફિકેટથી 5 ટકા જેટલું ડિસ્કાઉન્ટ મળશે, અને નવી ગાડી લેવા પર રજિસ્ટ્રેશન ફી પણ નહીં આપવી પડે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.