ક્રૂડ ઓઈલ 9 ટકા ઘટ્યું, શું દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળશે


  • Published By :
  • Published Date : 2023-01-05 13:46:14

દુનિયાભરમાં વિવિધ વસ્તુઓની માંગ ઘટી રહી છે અને તેના કારણે નિકાશને પણ ફટકો પડ્યો છે.. જો કે હવે સમાન્ય માણસ, ઉદ્યોગ, ધંધા અને પરિવહન માટે અનિવાર્ય મનાતા ક્રુડ ઓઈલની માગમાં પણ ઘટાડો નોંધાયો છે. 


વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલ 9 ટકા ઘટ્યું


વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ ફ્યુચર્સ માર્ચ બાદ બે દિવસના ઘટાડા બાદ 73 ડોલર પ્રતિ બેરલે પહોંચી ગયું હતું. ચીનમાં કોવિડ-19ના કેસમાં વધારો થયા બાદ દુનિયાભરમાં કમોડિટીના સૌથી મોટા આયાતકાર દેશનું અર્થતંત્ર ડામાડોળ થયું છે. 


ક્રૂડ માર્કેટમાં મંદીના સંકેત


બજારમાં નિકટના ભવિષ્યમાં પુરતા પુરવઠાના સંકેતો મળી રહ્યા છે. કુલ મળીને ક્રૂડ બજારમાં તે મંદીના સંકેત છે. મહત્વની બાબત એ છે કે યુક્રેન યુધ્ધના પગલે રશિયાના ક્રૂડ પર પ્રતિબંધ છતાં આવી સ્થિતી સર્જાઈ છે. 


શું પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટશે


વિશ્વમાં મંદીની આશંકા, યુક્રેન યુધ્ધ, ચીન, જાપાન, સિંગાપોર અને થાઈલેન્ડમાં વધેલુ કોરોના સંક્રમણ સહિતના કારણોને લઈને ક્રૂડની માગ 9 ટકા ઘટી છે. જો  કે તેના કારણે ઘર આંગણે પેટ્રોલ અને ડિઝલના ભાવ ઘટશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. વર્ષ 2023માં 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોવાથી મોદી સરકાર મતદારોને રિઝવવા માટે  ભાવ ઘટાડે તો નવાઈ નહીં.



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.