ઓડિશા ટ્રેન દુર્ઘટના : બાલાસોર પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઘટના સ્થળ પર કરી સમીક્ષા, ઘાયલો સાથે કરી મુલાકાત!


  • Published By :
  • Published Date : 2023-06-03 18:52:51

શુક્રવાર રાત્રે ઓડિશામાં એક દુર્ઘટના ઘટી હતી. ત્રણ ટ્રેન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 200થી વધારે લોકોના મોત થઈ ગયા છે જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટનાને લઈ અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. મમતા બેનર્જીએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ શનિવાર બપોરે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. હોસ્પિટલમાં ઘાયલોને  મળવા પણ પહોંચ્યા હતા. પીએમ મોદી સ્થળ મુલાકાત લે તે પહેલા આ ઘટનાને લઈ ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી.

      

બ્લડ ડોનેટ કરવા મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ પહોંચ્યા!

ઓડિશામાં થયેલી રેલવે દુર્ઘટનાને લઈ તમામ લોકો દુ:ખી થયા હતા અને વિચલીત પણ થયા હતા. 200થી વધારે લોકોના મોત આ રેલવે દુર્ઘટનામાં થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. રેસ્ક્યુની ટીમ દ્વારા બચાવની કામગીરી કરવામાં આવી, સારવાર માટે લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બ્લડને લઈ સારવાર ન અટકે તે માટે મોટી સંખ્યામાં લોકો લોહી ડોનેટ કરવા હોસ્પિટલ પહોંચ્યા હતા. મમતા બેનર્જીએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. કેન્દ્ર સરકાર પણ આ મામલે એક્ટિવ દેખાઈ રહી છે. ઘટનાસ્થળની મુલાકાત લેવા અશ્વિની વૈષ્ણવ પહોંચ્યા હતા. ત્યારે પીએમ મોદી પણ બાસાલોર પહોંચ્યા હતા અને નિરીક્ષણ કર્યું હતું.

દોષિતોને આકરી સજા આપવામાં આવશે - પીએમ મોદી 

ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ પીએમ મોદીએ ઘાયલોની મુલાકાત લીધી હતી. પીએમ મોદીએ આ મામલે પ્રતિક્રિયા આપી છે. જેમાં તેમણે કહ્યું કે કેટલાક લોકો, જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે, જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે, આ એક દુઃખદ ઘટના છે. જે લોકો ઘાયલ થયા છે તેમની મદદ કરવામાં સરકાર કોઈ કસર છોડશે નહીં. સરકાર પીડિત પરિવારોના દુઃખમાં તેમની સાથે છે. તેમણે કહ્યું કે, આ ઘટના સરકાર માટે ખૂબ જ ગંભીર છે. દરેક સ્તરની તપાસ માટે સૂચનાઓ આપવામાં આવી છે. દોષિતોને આકરી સજા આપવામાં આવશે. તેને છોડમાં આવશે નહીં.    


થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!