ઓડિશા ટ્રેન અકસ્માત કેસમાં આવ્યું અપડેટ! સિગ્નલ જૂનિયર ઈન્જિનિયરના ઘરને કરાયું સીલ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-20 13:47:48

થોડા સમય પહેલા ઓડિશામાં ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી જેમાં અનેક લોકોના મોત થઈ ગયા હતા. ત્રણ ટ્રેનો વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો જેને લઈ સમગ્ર દેશમાં શોકની લાગણી પ્રવર્તી ઉઠી હતી. ત્યારે આ મામલે સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે અપડેટ સામે આવી છે જેમાં સિગ્નલ જૂનિયર ઈંજિનિયર પોતાના પરિવાર સાથે ગાયબ થઈ ગયો છે. પરિવાર સાથે અચાનક ગાયબ થઈ જતાં સીબીઆઈ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સીબીઆઈ દ્વારા તેમના ઘરને સીલ કરી દેવામાં આવ્યા છે. જ્યારે તપાસ માટે સીબીઆઈની ટીમ ત્યાં પહોંચી હતી ત્યારે તેમનું ઘર બંધ હતું અને પરિવારના સભ્યો કોઈ હાજર ન હતા. એવી પણ માહિતી સામે આવી છે જેમાં શરૂઆતી તપાસ દરમિયાન સીબીઆઈએ તેમની પૂછપરછ કરી હતી. 



ઓડિશામાં સર્જાયો હતો ત્રિપલ ટ્રેન અકસ્માત!

ઓડિશામાં થોડા સમય પહેલા ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી જેમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા. ઘટનાને પગલે લોકોમાં દુખની લાગણી પ્રવર્તી ઉઠી હતી. ત્યારે આ મામલાની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે. ઘટના જ્યારથી બની હતી ત્યારથી કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ત્યાં ઉપસ્થિત હતા. પીએમ મોદીએ પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને ઘાયલ લોકો સાથે વાતચીત કરી હતી. આ ઘટનાની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે. 16 જૂનના રોજ તપાસ માટે ટીમે ત્યાંની મુલાકાત લીધી હતી તે બાદ 19 જૂનના રોજ ફરી એક વખત ટીમ ત્યાં ગઈ હતી. તે દરમિયાન સિગ્નલ જૂનિયર ઈન્જિનિયરની પૂછપરછ કરી હતી. 


સિગ્નલ જૂનિયર ઈન્જિનિયરના ઘરને કરાયું સીલ!

જ્યારે સીબીઆઈની ટીમ ફરી વખત સિગ્નલ જૂનિયર ઈન્જિનિયરના ઘરે પહોંચી ત્યારે પરિવારના સભ્યો હાજર ન હતા. ઘરમાં કોઈ મળ્યું ન હતું. મળતી માહિતી અનુસાર સીબીઆઈની ટીમ દ્વારા તેમના ઘરને સીલ કરી દેવામાં આવ્યું છે. ટ્રેન સંચાલન દરમિયાન ટ્રેનની સુરક્ષામાં જૂનિયર ઈન્જિનિયરનો રોલ મહત્વનો હોય છે. મહત્વનું છે કે આ દુર્ઘટનામાં 200થી વધારે લોકોના મોત થઈ ગયા છે. થોડા સમય પહેલા એક ચિઠ્ઠી પણ વાયરલ થઈ હતી જેમાં ટ્રેનને લઈ વોર્નિંગ આપવામાં આવી હતી.     



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!