ઓરિસ્સાના સ્વાસ્થ્ય મંત્રી નાબા કુમાર દાસ પર પર ફાયરિંગ, સુરક્ષામાં તૈનાત ASIએ જ ગોળી મારી


  • Published By :
  • Published Date : 2023-01-29 16:26:51

ઓરિસ્સાના સ્વાસ્થ્ય મંત્રી નાબા કુમાર દાસ પર ઝરસુગુડા જિલ્લામાં બ્રીજરાજનગર નજીક ફાયરિંગ કરવામાં આવ્યું છે. નાબા કુમાર દાસની જ સુરક્ષામાં તૈનાત ASI ગોપાલદાસે જ ગોળી મારી દીધી હતી. આ ઘટના રવિવારે બપોરે લગભગ 12.30 વાગ્યે ઝારસુગુડા જિલ્લાના બ્રજરાજનગર વિસ્તારમાં બની હતી. ફાયરિંગ બાદ ગંભીર હાલતમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને ભુવનેશ્વર માટે એરલિફ્ટ કરવામાં આવ્યા છે.


નાબા કુમાર દાસ હોસ્પિટલમાં દાખલ


એક કાર્યક્રમમાં હાજરી આપવા બ્રીજરાજનગર પહોંચેલા નબા દાસ કારમાંથી નીચે ઉતરતા હતા ત્યારે સાથે જ તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ્સ અનુસાર તેમને છાતીમાં 4-5 ગોળીઓ વાગી છે. તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. નાબા કુમાર કિશોર દાસને ખૂબ જ નજીકથી ગોળી મારવામાં આવી છે. 


આરોપી ASI ફરાર


નાબા દાસ પર ફાયરિંગ તેમની જ સુરક્ષા માટે ફરજ બજાવતા ASI ગોપાલદાસે જ કર્યું છે. આરોગ્ય મંત્રી પર પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે પોલીસ તરફથી હજી સુધી કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જ્યારે આરોપી ASI ગોપાલ દાસ ફરાર થઈ ગયો છે.  નાબા દાસ પર આ હુમલો પૂર્વયોજીત હોવાનું મનાય છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.