Delhiમાં હમણાં લાગુ નહીં થાય Odd-Even ફોર્મ્યુલા, વધતા પ્રદૂષણની વચ્ચે જાણો શા માટે લેવાયો આ નિર્ણય?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-11 16:19:51

વાયુ પ્રદૂષણની સમસ્યા ન માત્ર દિલ્હીની પરંતુ દેશના અનેક રાજ્યોની બની ગઈ છે. અમદાવાદમાં પણ વાયુ પ્રદૂષણનું સ્તર પ્રતિદિન વધી રહ્યું છે. દિવાળી સમયે ગુજરાતના અનેક શહેરોનું એક્યુઆઈ વધી ગયું છે જેને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે હવા ઝેરી બની છે. દિલ્હીમાં તો પ્રદૂષણએ માઝા મૂકી છે. પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા માટે દિલ્હી સરકારે ફરી એક વખત ઓડ-ઈવનને લાગુ કરવાનો નિર્ણય લીધો હતો. 13થી 20 નવેમ્બર સુધી આ કાયદાનો કડક અમલ થવાનો હતો પરંતુ હમણાં માટે આ નિર્ણયને સ્થગિત રાખવામાં આવ્યો છે. આ અંગેની જાણકારી દિલ્હી સરકારના પર્યાવરણ મંત્રીએ આપી હતી.

પ્રદૂષણ ઘટાડવા માટે પાડવાનો હતો કૃત્રિમ વરસાદ

દિલ્હીના લોકો ભયંકર વાયુ પ્રદૂષણનો સામનો કરી રહ્યા છે. હવાની ગુણવત્તા સતત નીચે જઈ રહી છે. દિલ્હીની હવા ઝેરી બની રહી છે જેને કારણે લોકોના જીવ જોખમમાં મૂકાયા છે. પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે દિલ્હી સરકાર અનેક પગલા લઈ રહી છે. ઓડ-ઈવન ફોર્મ્યુલાને 13 નવેમ્બરથી 20 નવેમ્બર દરમિયાન લાગુ કરવામાં આવવાની હતી પરંતુ હાલઆ નિર્ણયને સ્થગિત રાખવામાં આવ્યો છે. આ નિર્ણય પાછળ જવાબદાર છે દિલ્હીમાં પડેલો વરસાદ. પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા માટે કુત્રિમ વરસાદ કરવા અંગેની વિચારણા ચાલી રહી હતી પરંતુ કુદરતી વર્ષા થઈ ગઈ. વરસાદ થવાને કારણે પ્રદૂષણ ઘટ્યું છે અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. આ નિર્ણયની જાણકારી પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે આપી હતી. 


શું કહ્યું પર્યાવરણ મંત્રીએ આ અંગે?

પર્યાવરણ મંત્રીએ કહ્યું કે દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ સતત વણસી રહી છે. AQI સ્તર ખૂબ જ ગંભીર શ્રેણીને પણ વટાવી ગયું હતું. પરંતુ ગઈકાલે રાત્રે વરસાદના કારણે વાતાવરણમાં ઘણો પલટો આવ્યો હતો. પવનની ઝડપ પણ વધી છે. જેના કારણે પ્રદૂષણના સ્તરમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. રાયે કહ્યું કે વરસાદ અને પવનની ઝડપ વધવાને કારણે દિલ્હીમાં હવાની ગુણવત્તામાં સુધારો થયો છે. તેથી દિલ્હીમાં 13 થી 20 નવેમ્બર સુધી ઓડ-ઈવન લાગુ કરવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. દિવાળી પછી તેની ફરી સમીક્ષા કરવામાં આવશે.



દાહોદની ઘટનામાંથી કે સુરેન્દ્રનગરમાં બાળકી પર દુષ્કર્મની ઘટનામાંથી આપણે બહાર નથી આવ્યા ત્યાં ફરી એકવાર વડોદરામાં આ પ્રકારની ઘટના બની છે... વિકૃત માનસિકતા ધરાવનાર અપરાધીઓ નાની બાળકીઓને પણ નથી છોડતા... ગરબા રમવા ગયેલી સગીરા પર દુષ્કર્મ થયું હોય તેવી માહિતી સામે આવી છે.

થોડા દિવસ પહેલા તુરખેડાથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં મહિલાને ઝોળી કરીને લઈ જવા લોકો મજબૂર બન્યા હતા... રસ્તાના અભાવે બાળકે પોતાની માતાને ગુમાવી છે.. આ ઘટનાની નોંધ હાઈકોર્ટે લીધી છે અને સુઓમોટો દાખલ કરી છે.. સરકારને તીખા સવાલો કર્યા છે અને જવાબ આપવા માટે કહ્યું છે....

નવરાત્રીના બીજા નોરતે માતા દુર્ગાના બીજા સ્વરૂપની એવા માતા બ્રહ્મચારીણીની આરાધના કરવામાં આવે છે. માતાજી શ્વેત વસ્ત્રો ધારણ કરનારા દેવી છે... બ્રહ્મચારિણી માતા ભક્તોને મનોવાંચ્છિત ફળ આપનારા છે.

સામે વાળાને આપણે આસાનીથી કોઈ પણ પ્રશ્ન કરી દેતા હોઈએ છીએ....પરંતુ આપણે પોતાની જાતને સવાલ નથી કરતા... પોતાના વિચારોમાં લોકો એટલા મસ્ત હોય છે કે દુનિયાની પરવાહ નથી હોતી.