કાયમી OBC કમિશન મુદ્દે હાઇકોર્ટની રાજ્ય સરકારને ફટકાર, 2 માર્ચ સુધીમાં જવાબ આપવા આદેશ


  • Published By :
  • Published Date : 2023-02-09 16:28:37

ગુજરાત હાઈકોર્ટ વિવિધ મુદ્દે રાજ્ય સરકારને ફટકાર લગાવતી રહે છે. રાજ્યમાં કાયમી ધોરણે OBC કમિશન મુદ્દે હાઈકોર્ટે આજે સરકારની ઝાટકણી કાઢી છે. રાજ્યમાં કાયમી ધોરણે OBC કમિશનની નિમણૂકની માગ સાથે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજી પર હાઈકોર્ટમાં આજે સુનાવણી યોજાઈ હતી.જેમાં  હાઈકોર્ટે સરકારને પૂછ્યું હતું કે શા માટે કાયમી OBC કમિશનની સ્થાપના થઈ નથી?  


સરકાર 2 માર્ચ સુધીમાં જવાબ આપે


ગુજરાત હાઈકોર્ટે સરકારને ટકોર પણ કરી કે નિવૃત જજની નિમણૂકએ કમિશનની રચના ન ગણાય.  OBC કમિશનની સ્થાપના મુદ્દે સરકાર મજબુત પગલા લે તેવી પણ કોર્ટે તાકીદ કરી છે. હાઈકોર્ટે 2 માર્ચ સુધીમાં સરકારને કોર્ટમાં જવાબ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.


અરજદારે શું રજૂઆત કરી 


ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કાયમી ધોરણે OBC કમિશન નથી. એક અરજદારે કાયમી ધોરણે OBC કમિશનની નિમણૂક કરવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. ગુજરાત હાઈકોર્ટમાં અરજદારે રજૂઆત કરી છે કે સરકાર પરિપત્ર મુજબ કમિશનના વડાની નિમણૂક કરે તે યોગ્ય નથી. 


આર.પી.ધોલરિયાની વરણી


ગુજરાત સરકારે રાજ્યના પછાત અન્ય વર્ગો OBC માટેના કાયમી કમિશનના ચેરમેન તરીકે ગુજરાત હાઇકોર્ટમાંથી નિવૃત થયેલા ન્યાયાધીશ આ.પી ધોલરિયાની નિમણૂક કરી હતી. OBC કમિશનમાં લાંબો સમય ચેરપર્સન તરીકે જવાબદારી અદા કરનારા જસ્ટિસ સુજ્ઞાબેન ભટ્ટના અવસાનને એક વર્ષ પૂર્ણ થાય તે પહેલા સરકારે આ નિયુક્તિ કરી હતી. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.