વાહનચાલકોની હાલાકી વધશે: જૂની-નવી નંબર પ્લેટનું કામ હવે RTO નહીં પણ ડીલરો કરશે


  • Published By :
  • Published Date : 2023-08-21 12:05:16

રાજ્યના વાહનવ્યવહાર વિભાગે તમામ જિલ્લા આરટીઓ કચેરીઓને મહત્વનો આદેશ કર્યો છે. આ હુકમ અંતર્ગત હવેથી હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ (HSRP)નું કામ  RTO કચેરીઓ કચેરીમાં કામ નહીં થાય. નવા નિયમ મુજબ હવેથી જૂની-નવી નંબર પ્લેટનું કામ હવે RTO નહીં પરંતું વાહન ડીલરો કરશે. નંબર પ્લેટનું કામ કરતી કંપનીનો કોન્ટ્રાક્ટ પૂરો થઇ જતાં આરટીઓ કચેરીમાંથી જગ્યા છોડવા આદેશ કરાયો છે. વ્યક્તીએ જ્યાંથી વાહનની ખરીદી કરી હશે તે ડીલરના શોરૂમ પર જ જૂના વાહનોની નંબર પ્લેટની કામગીરી થશે. આરટીઓ કચેરીમાં ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લઇ જતાં ગ્રાહકનું કામ સમય મર્યાદામાં થઇ જતું હતું. પરંતુ હવે વાહન ડીલરના શોરૂમ પર જઇને પ્રથમ પુરાવા અને ફી આપ્યા પછી બીજીવાર નંબર પ્લેટ ફીટ કરાવવા ધક્કો પણ ગ્રાહકે ખાવો પડશે. તે ઉપરાંત સર્વિસ ચાર્જ સ્વરૂપે વધારાનો બોજ હવે વાહન ચાલકો પર પડશે. 


વાહન ચાલકોની હાલાકી અને ખર્ચ વધશે


હવેથી વાહન ચાલકની નંબર પ્લેટ ડેમેજ થઇ હોય, ફિલ્મ દૂર થઇ ગઇ હોય કે ખોવાઇ ગઈ હોય તો આરટીઓ કચેરીમાં કામ નહીં થાય. જ્યાંથી વાહનની ખરીદી કરી હશે તે ડીલરના શોરૂમ પર જ જૂના વાહનોની નંબર પ્લેટની કામગીરી થશે. જૂના વાહનોમાં નંબર પ્લેટના કામ માટે વિવિધ દરો નક્કી કરાયા હતાં. પરંતુ હવે વાહન ડીલરોને કામગીરી સોંપાતા સર્વિસચાર્જ ઉમેરાશે. જેથી જૂના વાહનોમાં નંબર પ્લેટની કોઇ પણ કામગીરી કરાવવાનો ખર્ચ વધશે. અત્યાર સુધી એક જ વાહનમાં ત્રીજી વખત નંબર પ્લેટ તૂટી જાય તો તેવા કિસ્સામાં કંપની પોલીસ ફરિયાદનો આગ્રહ રાખતી હતી. પરંતુ વાહન ડીલરો તો પ્રથમવાર નંબર પ્લેટ તૂટી જાય તો પોલીસ ફરિયાદનો આગ્રહ રાખી રહ્યા છે. વાહન ડીલરોએ પોતાની રીતે સર્વિસ ચાર્જ વસૂલવાનું શરૂ કરી દીધું છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.