Gujaratમાં વધી Corona સંક્રમિતોની સંખ્યા, Ahmedabadથી સામે આવ્યા કોરોનાના 6 નવા કેસ, આરોગ્ય વિભાગ એલર્ટ


  • Published By :
  • Published Date : 2023-12-21 16:58:51

ભારતમાં તેમજ વિશ્વમાં કોરોનાને કારણે ચિંતાની લહેર ઉઠી છે. ફરી એક વખત કોરોના દસ્તક આપી રહ્યું છે. કેરળમાં તો 2000થી વધારે કોરોનાના એક્ટિવ કેસ છે. ગુજરાતમાં પણ કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. પહેલા માત્ર ગાંધીનગરથી કોરોનાના કેસ સામે આવ્યા હતા પરંતુ હવે અમદાવાદમાં પણ કોરોના કેસ નોંધાયા છે. મળતી માહિતી અનુસાર એક બે નહીં પરંતુ 6 લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. ત્રણ મહિલા અને 3 પુરૂષોનો સમાવેશ થાય છે. આ સાથે જ શહેરમાં પોઝિટીવ કેસની સંખ્યા 13 પર પહોંચી ગઈ છે. 


ગુજરાતમાં સતત વધી રહ્યા છે કોરોના સંક્રમિતોનો આંકડો 

થોડા વર્ષો પહેલા કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો હતો. કોરોના સમયના અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં અનેક લોકોના મોત થયા છે. લાખોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થયા હતા. અનેક પરિવારો વિખેરાયા હતા ત્યારે ફરી એક વખત કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યમાં કોરોના કેસની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. જે કેસ નોંધાયા છે તે નવરંગપુરા, સરખેજ અને નારણપુરાથી સામે આવ્યા છે. એક જ દિવસમાં 6 કેસ સામે આવતા આરોગ્ય વિભાગ એક્ટિવ થયું છે. 6 કેસ જે સામે આવ્યા છે તેમાં 3 મહિલા અને 3 પુરૂષોનો સમાવેશ થાય છે. 


અમદાવાદમાં કોરોનાના 6 કેસ નોંધાયા 

દેશમાં તો એક તરફ કોરોનાનો ખતરો વધી રહ્યો છે. અનેક રાજ્યોમાં કોરોનાના નવા વેરિયન્ટના કેસ નોંધાયા છે.  ત્યારે ગુજરાતમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ હતી. ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી ગાંધીનગરથી થઈ હતી. બે મહિલાઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.જે બાદ કોરોનાને લઈ આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે. ગુજરાતમાં પણ ધીરે ધીરે કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પહેલા કોરોના કેસની સંખ્યા 13 હતી પરંતુ 6 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા આ આંકડો 20ની આસપાસ પહોંચી ગયો છે. કોરોનાને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. હોસ્પિટલમાં વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. 


કોરોના કેસમાં આવી શકે છે ઉછાળો 

મહત્વનું છે કે હમણાં કોરોના કેસનો આંકડો વધારે નથી તેને લઈ લોકો માનતા હશે કે આટલા કેસોમાં કંઈ ન થાય. વાત સાચી પણ છે એટલા કેસ નથી નોંધાયા કે ચિંતા કરવી પડે પરંતુ આ આંકડો વધી પણ શકે છે. અમારો હેતુ તમને લોકોને ડરાવવાનો નથી પરંતુ સાવચેત કરવાનો છે. જો શક્ય હોય તો જ્યારે ભીડભાડ વાળી જગ્યા પર જઈએ ત્યારે માસ્ક પહેરવા જોઈએ. શક્ય હોય તો ટ્રાવેલિંગ કરવાનું ટાળવું જોઈએ. કોરોના કેસ ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશના અનેક રાજ્યોથી સામે આવી રહ્યા છે. કેરળમાં તો પરિસ્થિતિ એકદમ વિકટ છે. કેરળમાં કોરોના કેસની સંખ્યા 2000ને પાર પહોંચી ગઈ છે. 




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!