રાજ્યમાં વધતી અકસ્માતોની સંખ્યા, વડોદરા-પાદરા રોડ પર સર્જાઈ દુર્ઘટના, ઘટનામાં થયા પાંચ લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-02-24 11:25:48

ગુજરાતમાં અકસ્માતને કારણે અનેક લોકોના મોત થાય છે. ગંભીર રીતે અનેક લોકો ઈજાગ્રસ્ત થતા હોય છે. ત્યારે વધુ એક અકસ્માત વડોદરા-પાદરા રોડ પર સર્જાયો છે જેમાં 5 લોકોના મોત થયા છે. રિક્ષા અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકો કાળનો કોળિયો બની ગયા છે. મૃતકોમાં 3 બાળકો અને પતિપત્નીનો સમાવેશ થાય છે. ઘટનાસ્થળે 3 લોકોના મોત થયાં હતા જ્યારે 2 લોકોના મોત સારવાર દરમિયાન થયા છે. 

રોડ પર લોહીનાં ખાબોચિયાં ભરાયાં.

રિક્ષાનો બુકડો બોલી ગયો.

કાર અને રિક્ષા વચ્ચે થઈ જબરદસ્ત ટક્કર 

અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કોણ ક્યારે કાળનો કોળિયો બની જાય છે તેની જાણ થતી નથી. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના વડોદરા પાદરા રોડ પર સર્જાઈ છે. રિક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં રિક્ષામાં સવાર લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા છે જેમાં 3 બાળકો અને માતા પિતાનો સમાવેશ થયો છે. સયાજી હોસ્પિટલમાં સારવાર માટે તેમને ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને કારણે સ્થાનિક લોકો તેમજ પોલીસ પણ ઘટનાસ્થળ આવી ગઈ હતી.  

કારના ફુરચેફુરચા બોલી ગયા.


દુર્ઘટનામાં 5 લોકોના થયા મોત 

મળતી માહિતી અનુસાર પરિવાર રિક્ષામાં સવારે લગ્ન પ્રસંગમાં હાજરી આપી વડોદરાથી પાદરા તરફ ફરી રહ્યો હતો. જ્યારે કાર પાદરા તરફથી આવી રહી હતી. ગાડી અને રિક્ષા વચ્ચે ટક્કર થતાં ગોઝારો અકસ્માત થયો છે. આ ઘટનામાં 3 લોકોના મોત ઘટના સ્થળ પર થઈ ગયા હતા જ્યારે બે લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમના પણ મોત નિપજ્યા હતા. પોલીસે ઘટનાસ્થળ પર આવી તપાસ હાથ ધરી છે.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.