Kutch Universityમાં ગધેડાને એડમિશન અપાવવા આવ્યાં NSUI સભ્યો, ગધેડાને એડમિશન આપો તેવી માંગ સાથે વિરોધ


  • Published By :
  • Published Date : 2024-01-06 11:00:20

વિરોધના અનેક દ્રશ્યો તમે જોયા હશે. કોઈ હાથમાં પોસ્ટર લઈને તો કોઈ સૂત્રોચ્ચારો કરી પોતાનો વિરોધ પ્રગટ કરે છે. ત્યારે કચ્છ યુનિવર્સિટીમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો.એડમિશન માટે કાર્યકર્તાઓ ગધેડાને લઈ પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓ ગધેડા સાથે કુલપતિની ચેમ્બરમાં પહોંચ્યા હતા અને ગધેડાને એડમિશન કરવામાં આવે તેવી માગ કરી હતી. એનએસયુઆઈના વિદ્યાર્થીઓએ વર્ષોથી અટવાયેલા પ્રશ્નો તેમજ પકડતર પ્રશ્નોને લઈ વિરોધ દર્શાવ્યો હતો. પીએચડીના એડમિશન અંગે નારાજગી વ્યક્ત કરી હતી.   

કયા મુદ્દાનો કાર્યકરોએ કર્યો વિરોધ? 

કચ્છ યુનિવર્સીટીમાં વિવિધ પ્રશ્નો મામલે એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓના વિવિધ મુદ્દા લઈને કાર્યકર્તાઓએ અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો. અનોખો એટલા માટે કારણ કે યુનિવર્સિટીમાં એડમિશન કરાવવા માટે ગધેડાને લઈ આવ્યા હતા. એનએસયુઆઈના કાર્યકરો ગધેડાને લઈને યુનિવર્સીટી પહોચ્યા હતા અને ગધેડાને એડમિશન આપો તેવી માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો તમને જણાવી દઈએ કે કચ્છ યુનિવર્સિટીમાં છેલ્લા ત્રણ વર્ષથી પીએચડીનું  એડમિશન આપવામાં આવતું નથી સાથે જ યુનિવર્સીટીમાં કાયમી કુલપતિ , કાયમી સ્ટાફ જેવા મુદ્દે કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો.  

Kutch University : કચ્છ યુનિવર્સિટીમાં ગધેડાને એડમિશન અપાવવા આવ્યાં એનએસયુઆઈ સભ્યો


આ ઘટનાને લઈ શું કહ્યું ઈન્ચાર્જ કુલપતિએ? 

આ મામલે કચ્છ યુનિવર્સીટીના ઇન્ચાર્જ કુલપતિનું કહેવું છે કે વહેલી તકે વિદ્યાર્થીઓને પીએચડી વિષયમાં એડમિશન મળે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે . હાલ એનએસયુઆઇ યુનિવર્સીટીના  પ્રશ્નોને  લઈને લડી લેવાના મુડમાં જોવા મળી રહ્યા છે આગામી દિવસોમાં કચ્છ યુનિવર્સીટી વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ નહિ આવેતો  યુનિવર્સીટીને તાળા બંધી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે . 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.