Kutch Universityમાં ગધેડાને એડમિશન અપાવવા આવ્યાં NSUI સભ્યો, ગધેડાને એડમિશન આપો તેવી માંગ સાથે વિરોધ


  • Published By :
  • Published Date : 2024-01-06 11:00:20

વિરોધના અનેક દ્રશ્યો તમે જોયા હશે. કોઈ હાથમાં પોસ્ટર લઈને તો કોઈ સૂત્રોચ્ચારો કરી પોતાનો વિરોધ પ્રગટ કરે છે. ત્યારે કચ્છ યુનિવર્સિટીમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો.એડમિશન માટે કાર્યકર્તાઓ ગધેડાને લઈ પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓ ગધેડા સાથે કુલપતિની ચેમ્બરમાં પહોંચ્યા હતા અને ગધેડાને એડમિશન કરવામાં આવે તેવી માગ કરી હતી. એનએસયુઆઈના વિદ્યાર્થીઓએ વર્ષોથી અટવાયેલા પ્રશ્નો તેમજ પકડતર પ્રશ્નોને લઈ વિરોધ દર્શાવ્યો હતો. પીએચડીના એડમિશન અંગે નારાજગી વ્યક્ત કરી હતી.   

કયા મુદ્દાનો કાર્યકરોએ કર્યો વિરોધ? 

કચ્છ યુનિવર્સીટીમાં વિવિધ પ્રશ્નો મામલે એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓના વિવિધ મુદ્દા લઈને કાર્યકર્તાઓએ અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો. અનોખો એટલા માટે કારણ કે યુનિવર્સિટીમાં એડમિશન કરાવવા માટે ગધેડાને લઈ આવ્યા હતા. એનએસયુઆઈના કાર્યકરો ગધેડાને લઈને યુનિવર્સીટી પહોચ્યા હતા અને ગધેડાને એડમિશન આપો તેવી માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો તમને જણાવી દઈએ કે કચ્છ યુનિવર્સિટીમાં છેલ્લા ત્રણ વર્ષથી પીએચડીનું  એડમિશન આપવામાં આવતું નથી સાથે જ યુનિવર્સીટીમાં કાયમી કુલપતિ , કાયમી સ્ટાફ જેવા મુદ્દે કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો.  

Kutch University : કચ્છ યુનિવર્સિટીમાં ગધેડાને એડમિશન અપાવવા આવ્યાં એનએસયુઆઈ સભ્યો


આ ઘટનાને લઈ શું કહ્યું ઈન્ચાર્જ કુલપતિએ? 

આ મામલે કચ્છ યુનિવર્સીટીના ઇન્ચાર્જ કુલપતિનું કહેવું છે કે વહેલી તકે વિદ્યાર્થીઓને પીએચડી વિષયમાં એડમિશન મળે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે . હાલ એનએસયુઆઇ યુનિવર્સીટીના  પ્રશ્નોને  લઈને લડી લેવાના મુડમાં જોવા મળી રહ્યા છે આગામી દિવસોમાં કચ્છ યુનિવર્સીટી વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ નહિ આવેતો  યુનિવર્સીટીને તાળા બંધી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે . 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!