હવે NRI પણ કરી શકશે UPIથી ટ્રાન્ઝેક્શન, આ 10 દેશોમાં વસતા ભારતીયોને મળશે લાભ


  • Published By :
  • Published Date : 2023-01-13 13:04:22

દેશમાં ઓનલાઈન પેમેન્ટ મિડિયમ UPI લોકપ્રિય બની રહ્યું છે. હવે તેનો લાભ દસ દેશોમાં વસતા બિન નિવાસી ભારતીયો ( NRI) પણ કરી શકશે. નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના જણાવ્યા પ્રમાણે હવે NRI પણ તેમના ઈન્ટરનેશનલ નંબર મારફતે પેમેન્ટ માટે UPI એટલે કે યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસનો ઉપયોગ કરી શકશે. 


આ દેશોમાં વસતા NRIને મળશે લાભ


ઓનલાઈન પેમેન્ટ ફેસિલિટી UPIનો ઉપયોગ આ દસ દેશો જેવા કે સિંગાપોર, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, હોંગકોંગ, ઓમાન, કતાર, સઉદી અરબ, સંયુક્ત અરબ અમીરાત (યુએઇ) અને બ્રિટન (યુકે)માં વસતા લોકો કરી શકશે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અનુસાર ઇન્ટરનેશનલ મોબાઇલ નંબરવાળા NRI/NRO યુપીઆઇ દ્વારા લેવડદેવડ કરી શકશે. પેમેન્ટ કોર્પોરેશને નિર્દેશોનું પાલન કરવા માટે પાર્ટનર બેંકોને 30 એપ્રિલ સુધીનો સમય આપ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે NRI એકાઉન્ટ એનઆરઆઇને વિદેશી કમાણીને ભારતમાં ટ્રાન્સફર કરવામાં મદદ કરે છે જ્યારે NRO એકાઉન્ટ તેમને ભારતમાં અર્જિત આવકનું સંચાલન કરવામાં મદદ કરે છે.


FEMAના નિયમોનું પાલન અનિવાર્ય


આ ઓનલાઈન પેમેન્ટ ફેસિલિટી UPIનો ઉપયોગ કરવાને લઈ એક માત્ર શરત એ છે કે બેંક એ સુનિશ્ચિત કરે કે આવા ખાતાઓને ફેમાના નિયમો અનુસાર પરવાનગી આપવામાં આવે. બેંક આરબીઆઇના દિશાનિર્દેશોનું પાલન કરે અને મની લોન્ડરિંગ અથવા આતંકી ફંડિંગ વિરુદ્ધ સુરક્ષા રાખે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ મોટા નિર્ણયથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થાઓ, વિદેશમાં રહેતા પરિવારો અને સ્થાનિક ઉદ્યોગપતિઓને મદદ મળશે.




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!