હવે હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી! Rajkotની નામચિન હોટલને મળ્યા ધમકી ભર્યા મેલ, તપાસનો ધમધમાટ શરૂ થયો


  • Published By :
  • Published Date : 2024-10-26 16:19:08

દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.. થોડા સમય પહેલા વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતી હતી. ધમકી ભર્યો મેલ મળતા લોકોમાં ડર વ્યાપી ઉઠ્તો અને ઉચિત કાર્યવાહી કરવામાં આવતી.. ત્યારે હવે હોટલને ધમકી ભર્યા મેલ કરવામાં આવી રહ્યા છે.. રાજકોટની 10 હોટલને ધમકી ભર્યા મેલ મળ્યા છે.. આ 10 હોટલમાંથી અનેક એવી હોટલો છે જ્યાં સ્ટાર્સ રહેવા આવે છે.. ફાઈવ સ્ટાર હોટલોને બોમ્બથી ઉડાવાની ધમકી મળતા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે..  


10 હોટલને મળ્યા ધમકીભર્યા ઈમેલ

જે હોટલને ધમકી ભર્યા ઈમેલ મળ્યા છે તેની વાત કરીએ તો રાજકોટની જાણીતી ઇમ્પિરિયલ પેલેસ, સયાજી હોટલ, સિઝન્સ હોટલ, હોટલ ગ્રાન્ડ રેજંસી સહિતની હોટલનો સમાવેશ થાય છે.. દિવાળી ટાણે હોટલને આ પ્રકારનો મેલ આવતા પોલીસ દોડતી થઈ છે. ડોગ સ્કોડને બોલાવામાં આવી છે... ઈમેલ કોણે મોકલ્યો છે તેની તપાસ કરાઈ રહી છે.... મેલમાં લખ્યું છે - 

મેં તમારી હોટલના દરેક સ્થળે બોમ્બ મૂક્યા છે. બોમ્બ થોડા કલાકોમાં નીકળી જશે. આજે અનેક નિર્દોષોના જીવ જશે. ઉતાવળ કરો અને હોટેલ ખાલી કરો. હમણાં જ ખાલી કરો. પોલીસ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી રહી છે..

શહેર પોલીસે ચેકિંગની કામગીરી શરૂ કરી.


ભાભા હોટલમાં ડોગ સ્કવોડ દ્વારા ચેકિંગ.


કોઈ વખત ફ્લાઈટને તો કોઈ વખત મોલને ઉડાવી દેવાની મળે છે ચીમકી

મહત્વનું છે કે ઘણા કેટલાય સમયથી આવા ધમકી ભર્યા મેલ મોલ વાળાને, સ્કૂલમાં, ફ્લાઈટ વાળાને મોકલાઈ રહ્યા છે.... અમદાવાદની સ્કૂલોને, સુરતના મોલને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.. અનેક ફ્લાઈટને ધમકી વાળા મેલ મળ્યા છે  જેને કારણે તેનું ઈમરજન્સી લેન્ડિંગ પણ કરવામાં આવ્યું છે.. અનેક ફ્લાઈટને ધમકીને કારણે અસર થઈ છે.. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે