હવે રબારી સમાજે સરકાર સામે બાયો ચઢાવી, માલધારી એકતા સમિતિએ આંદોલનની કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-11-23 17:04:18

ગુજરાત સરકારની માલધારી સમાજ વિરોધી નિતીઓના કારણે ભારોભાર રોષનો માહોલ છે. માલધારી સમાજે ફરી એક વખત આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. માલધારી એકતા સમિતિના પ્રમુખ નાગજીભાઈ રબારીએ સરકારના અન્યાયી વલણ સામે આંદોલનનું શસ્ત્ર ઉગામવાની જાહેરાત કરી છે. માલધારી સમાજે 2500 લોકો સાથે આવતી કાલે શુક્રવારે 24 નવેમ્બરે અમદાવાદના બાપુનગરના ભીડભંજન મંદિરથી વિરોધ પ્રદર્શન રેલી કાઢવાનું આયોજન કર્યું છે.  નાગજી રબારીએ આજે એક વીડિયો શેર કરી આ અંગે જાણકારી આપી હતી. રાજ્યમાં એક તરફ જ્ઞાન સહાયકના વિરોધમાં ટેટ-ટાટ ઉમેદવારો તથા TRB જવાનો આંદોલન ચલાવી રહ્યા છે, ત્યારે હવે માલધારી સમાજે પણ આંદોલનની ઘોષણા કરતા રાજ્ય સરકારની મુશ્કેલી વધી છે.   


શા માટે આંદોલન?


માલધારી એકતા સમિતિના પ્રમુખ નાગજીભાઈ રબારીએ રાજ્ય સરકાર પર આરોપ લગાવ્યો હતો કે સરકાર ગુજરાતના પશુપાલન વ્યવસાયને ખતમ કરવા માંગે છે. રાજ્ય સરકારની પશુઓ રાખવા માટે લાયસન્સની નિતીનો તેમણે ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે રસ્તા પર રખડતા બે પગવાળા આખલાઓ ગોચર ગળી ગયા તેના વિરોધમાં આ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. નાગજીભાઈ રબારીએ એ પણ સ્પષ્ટતા કરી હતી કે રસ્તા પર રખડતા ઢોરને ડબ્બામાં પુરવામાં આવે તેનાથી માલધારી સમાજને કોઈ વાંધો નથી. માલધારી સમાજ કોઈ નિર્દોશ વ્યક્તિનું રસ્તા પર મોત થાય તેનું પણ સમર્થન કરતો નથી. ઉલ્લેખનિય છે કે રાજ્ય સરકારની  રખડતા ઢોર નિયંત્રણની નવી પોલીસી અને ગોચરને લઈને માલધારી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે ઢોર નિયંત્રણ પોલીસી જાહેર કરી હતી. જે બાદ શહેરમાં રખડતા પશુઓને પકડવાની કામગીરી વધુ ઝડપી બનાવવામાં આવી છે. 


જામાભાઈ રબારીના મોતથી સમાજમાં રોષ 


અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં રહેતા વૃધ્ધનું થોડા દિવસ પહેલા હાર્ટ અટેક આવતા મોત થતા વિવાદ સર્જાયો હતો. મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે ઢોર પકડો પાર્ટીના ગેરવર્તન અને મારના લીધે જામાભાઈ રબારીને હાર્ટ અટેક આવ્યો હતો. આ મુદ્દે માલધારી સમાજના લોકોએ આક્ષેપ કર્યો હતો કે ઢોર પાર્ટી અને પોલીસ હપ્તા લે છે. બીજી તરફ AMCએ દાવો કર્યો હતો કે મૃતકને હ્રદય રોગ હોવાથી હાર્ટ એટેક આવ્યો છે. મૃતકના પરિવારજનોએ ઢોર પાર્ટીના લોકોએ મકાન તોડવાની ધમકી આપી હોવાનો અને તેમના પર હુમલો કર્યાનો પણ આરોપ લગાવ્યો હતો. મૃતકના જવાબદારો સામે કાર્યવાહીની માંગ સાથે માલધારી સમાજના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પશુ પકડવાની ટીમ પહોંચતા વૃદ્ધને હાર્ટ અટેક આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે માલધારી સોસાયટીમાં પશુઓ પકડવા ટીમ પહોંચી હતી. વાડાના પશુઓને પકડવા ટીમ આવી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. આ સમગ્ર મામલે અમદાવાદ AMCએ તપાસ શરૂ કરી છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!