ગૌતમ-નવાઝના ઝઘડામાં હવે પિતા વિજયપત સિંઘાનિયાની એન્ટ્રી, 'પુત્રને બધું આપીને મેં મૂર્ખામી કરી'


  • Published By :
  • Published Date : 2023-11-24 15:19:25

રેમન્ડ ગ્રૂપના વડા ગૌતમ સિંઘાનિયા અને તેમની પત્ની નવાઝ મોદી સિંઘાનિયા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના વિવાદમાં હવે ગૌતમના પિતા વિજયપત સિંઘાનિયાએ પણ ઝંપલાવ્યું છે અને તેમના પુત્ર ગૌતમ સિંઘાનિયા પર નિશાન સાધી આકરા પ્રહારો કર્યા હતા. રેમન્ડને નાની કંપનીમાંથી વૈશ્વિક બ્રાન્ડમાં પરિવર્તિત કરનાર વિજયપત સિંઘાનિયાએ કહ્યું છે કે, 'મને રસ્તા પર જોઈને ગૌતમને આનંદ થાય છે.'


પુત્રને બધું આપીને મોટી ભૂલ કરી 


વિજયપત સિંઘાનિયાએ અફસોસ વ્યક્ત કરતા કહ્યું કે મેં પુત્રને બધું આપીને મોટી ભૂલ કરી હતી. રેમન્ડના સીએમડી વિજયપત સિંઘાનિયાએ કહ્યું છે કે ગૌતમ સિંઘાનિયા મને રસ્તા પર જોઈને ખુશ થશે. વર્ષ 2015માં તેમણે રેમન્ડનું સુકાન તેમના પુત્ર ગૌતમને સોંપી હતી, આ નિર્ણય અંગે પણ વિજયપત સિંઘાનિયાએ કહ્યું હતું કે, તેમણે તેમના પુત્રને બધું આપીને મૂર્ખામીભરી ભૂલ કરી હતી. તેમણે ગૌતમ સિંઘાનિયા અને તેમની પત્ની નવાઝ મોદીના છૂટાછેડા મુદ્દે આ વાત કહી હતી.

 

'...નહીંતર હું રસ્તા પર આવી ગયો હોત' 


વિજયપત સિંઘાનિયાએ તેમની સાથે બનેલી ઘટનાને યાદ કરતા કહ્યું હતું કે તેમને પુત્ર દ્વારા ઘરમાંથી કાઢી મુકવામાં આવ્યા બાદ મારી પાસે કોઈ કામ નથી, ગૌતમ અમુક કંપનીમાં હિસ્સો આપવા માટે સહેમત થયો હતો બાદમાં તે કહીંને ફરી ગયો હતો. મેં તેને બધું આપ્યું, પરંતુ ભૂલથી મારી પાસે થોડા પૈસા બચી ગયા હતા જેની મદદથી મારૂં ભરણપોષણ કરૂ છું. સદનશિબે હું બચી ગયો, નહીંતર આજે હું રસ્તા પર હોત. ગૌતમ-નવાઝના છુટાછેડાના મુદ્દે તેમણે કહ્યું કે મને ખાતરી છે કે જો તે તેના પિતાને ઘરની બહાર કાઢી શકે છે, તો તે તેની પત્નીને પણ તે જ રીતે ધક્કો મારી શકે છે, મને ખબર નથી કે તેમને કઈ બાબતે વિવાદ છે.



22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે..

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...

સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.