ગૌતમ-નવાઝના ઝઘડામાં હવે પિતા વિજયપત સિંઘાનિયાની એન્ટ્રી, 'પુત્રને બધું આપીને મેં મૂર્ખામી કરી'


  • Published By :
  • Published Date : 2023-11-24 15:19:25

રેમન્ડ ગ્રૂપના વડા ગૌતમ સિંઘાનિયા અને તેમની પત્ની નવાઝ મોદી સિંઘાનિયા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના વિવાદમાં હવે ગૌતમના પિતા વિજયપત સિંઘાનિયાએ પણ ઝંપલાવ્યું છે અને તેમના પુત્ર ગૌતમ સિંઘાનિયા પર નિશાન સાધી આકરા પ્રહારો કર્યા હતા. રેમન્ડને નાની કંપનીમાંથી વૈશ્વિક બ્રાન્ડમાં પરિવર્તિત કરનાર વિજયપત સિંઘાનિયાએ કહ્યું છે કે, 'મને રસ્તા પર જોઈને ગૌતમને આનંદ થાય છે.'


પુત્રને બધું આપીને મોટી ભૂલ કરી 


વિજયપત સિંઘાનિયાએ અફસોસ વ્યક્ત કરતા કહ્યું કે મેં પુત્રને બધું આપીને મોટી ભૂલ કરી હતી. રેમન્ડના સીએમડી વિજયપત સિંઘાનિયાએ કહ્યું છે કે ગૌતમ સિંઘાનિયા મને રસ્તા પર જોઈને ખુશ થશે. વર્ષ 2015માં તેમણે રેમન્ડનું સુકાન તેમના પુત્ર ગૌતમને સોંપી હતી, આ નિર્ણય અંગે પણ વિજયપત સિંઘાનિયાએ કહ્યું હતું કે, તેમણે તેમના પુત્રને બધું આપીને મૂર્ખામીભરી ભૂલ કરી હતી. તેમણે ગૌતમ સિંઘાનિયા અને તેમની પત્ની નવાઝ મોદીના છૂટાછેડા મુદ્દે આ વાત કહી હતી.

 

'...નહીંતર હું રસ્તા પર આવી ગયો હોત' 


વિજયપત સિંઘાનિયાએ તેમની સાથે બનેલી ઘટનાને યાદ કરતા કહ્યું હતું કે તેમને પુત્ર દ્વારા ઘરમાંથી કાઢી મુકવામાં આવ્યા બાદ મારી પાસે કોઈ કામ નથી, ગૌતમ અમુક કંપનીમાં હિસ્સો આપવા માટે સહેમત થયો હતો બાદમાં તે કહીંને ફરી ગયો હતો. મેં તેને બધું આપ્યું, પરંતુ ભૂલથી મારી પાસે થોડા પૈસા બચી ગયા હતા જેની મદદથી મારૂં ભરણપોષણ કરૂ છું. સદનશિબે હું બચી ગયો, નહીંતર આજે હું રસ્તા પર હોત. ગૌતમ-નવાઝના છુટાછેડાના મુદ્દે તેમણે કહ્યું કે મને ખાતરી છે કે જો તે તેના પિતાને ઘરની બહાર કાઢી શકે છે, તો તે તેની પત્નીને પણ તે જ રીતે ધક્કો મારી શકે છે, મને ખબર નથી કે તેમને કઈ બાબતે વિવાદ છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે