હવે તો આ બ્રિજ પર જતા પણ ડર લાગે છે,અમદાવાદના આ બ્રિજ જોવા જેવા છે


  • Published By :
  • Published Date : 2022-11-02 16:09:14

વિકસિત શહેર અમદાવાદમાં મોરબી જેવી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે કે શું  અમદાવાદનું તંત્રની ધોર બેદરકારી સામે આવી છે. જેના કારણે અમદાવાદમાં પણ મોરબી જેવી હોનારત થઈ શકે છે.


અમદાવાદના બ્રિજ પણ જર્જરિત 


અમદાવાદના સરખેજ જુહાપુરથી નારોલને જોડતો બ્રિજ છે જે શાસ્ત્રી બ્રિજના નામથી ઓળખાય છે.આ બ્રિજની હાલત એટલી ખરાબ છે ગમે ત્યારે પડી શકે છે. બ્રિજની પાડી અને દીવાલો તૂટેલી હાલતમાં છે મોટી તિરાડો પડી ગઈ છે. સાથે જ આ બ્રિજમાં કરવામાં આવેલા સાંધા પણ ખુલ્લી ગયા છે સાથે જ કોઈ પણ વાહન બ્રિજ પરથી પસાર થાય તો એક ધ્રુજારી અનુભવાય છે. શાસ્ત્રી બ્રિજ પર લોકોની અવર જવર વધારે છે કેમ કે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમને જોડે છે દરરોજ અહીંથી હજારો વાહનો પસાર થતા હોય છે હવે જોવાનું એ રહેશે કે તંત્રની આંખ ક્યારે ઉઘડે છે ? કારણ કે જો તંત્રની આંખ નહિ ઉગડે અને શાસ્ત્રી બ્રિજનું સમારકામ ઝડપથી નહિ કરવામાં આવે તો મોરબી જેવી હોનારત થઈ શકે છે.


અમદાવાદના હાટકેશ્વર બ્રિજને ગાબડાં સાથે જૂનો સબંધ

અમદાવાદ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં પાંચ વર્ષ પહેલા સો કરોડ કરતા પણ વધુ રકમનો બનાવવામાં આવેલ ઓવર બ્રિજ વારંવાર તૂટી જાય છે.અત્યારે છેલ્લા બે મહિનાથી આ બ્રિજ શહેરીજનો માટે બંધ છે આ બ્રિજ બન્યો ત્યારથી ગાબડાં પડી જતા અનેક વાર બંધ કરવામાં આવ્યો છે. નાગરિકોની આવકનો બેરોકટોક ધુમાડો કરવામાં આવે છે પણ ક્યારેય ઓવર બ્રિજ બનાવનાર સામે કાર્યવાહી કરવામાં આવતી નથી.

એક દુર્ઘટના પછી આપણે જાગી જઈએ,આ તૂટેલો ખખડધજ બ્રિજ યાદ આવે પછી એકાદ મહિનામાં ભુલાઈ જાય પણ યાદ છે ત્યાં સુધીમાં કંઇક સુધરી જાય તો સારું આશા છે કે તમે હવે તમારી કુંભકરણની નિંદ્રા સાઈડમાં મૂકી જાગી જશો 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે