ભાજપના દંડકે AMC કોર્પોરેટરોને નોટિસ ફટકારી 3 દિવસમાં ખુલાસો માગ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-08 18:16:00

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ભાજપ તમામ 182 બેઠકો જીતવા માટે કૃતસંકલ્પ છે. લોકોના દિલ જીતવા માટે સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિકાસના કામો ઝડપથી થાય તેના માટેના આયોજનો કરીને ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં  વડાપ્રધાન મોદીના હસ્તે સાબરમતી રિવરફ્રન્ટ પર અટલ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના મોટાભાગના કોર્પોરેટરો હાજર ન રહેતા આ બાબતની નોંધ લઈ ગેરહાજર રહેનાર કોર્પોરેટરને નોટિસ આપી 3 દિવસમાં ખુલાસો આપવાની માંગ કરવામાં આવી છે. યોગ્ય ખુલાસો નહીં આપનાર કોર્પોરેટરો સામે કાર્યવાહી કરવામાં આવશે. તે ઉપરાંત તેમને આગામી દિવસોમાં કાર્યક્રમમાં હાજર રહેવા તાકીદ કરાઈ છે. 


AMCના ભાજપના દંડકે ફટકારી નોટિસ


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના દંડક અરુણસિંહ રાજપુતે તમામ કોર્પોરેટરોને નોટિસ ફટકારી છે. નોટીસમાં જણાવ્યું છે કે, AMCમાં ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિ છો. સાબરમતી રિવરફ્રન્ટ પર વડાપ્રધાનના હસ્તે કરવામાં આવેલ અટલ બ્રિજના ઉદ્ધાટનના કાર્યક્રમમાં બધા કોર્પોરેટરોને હાજર રહેવાની સૂચના આપવામાં આવી હતી તેમ છતાં કોર્પોરેટરો આ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા. જે ખૂબ જ ગંભીર બાબત છે અને પાર્ટીના ઉચ્ચ પદ અધિકારીઓએ તેની નોંધ લીધી હતી. કાર્યક્રમમાં કોર્પોરેટરો ગેરહાજર હતા તો કયા કારણથી તેનો ખુલાસો ત્રણ દિવસની અંદર દંડક અરુણસિંહ રાજપૂતને આપવા જાણ કરવામાં આવી છે.

 

કોર્પોરેટરોએ કર્યો બચાવ


કેટલાક કોર્પોરેટરોએ પોતાનો બચાવ કરતા જણાવ્યું કે, પોતે તે કાર્યક્રમમાં આવ્યા હતા પરંતુ સિક્યુરિટીના કારણે અંદર નહોતા પ્રવેશી શક્યા. કેટલાકે કહ્યું કે પોતે ત્યાં હાજર રહ્યા હતા પરંતુ હાજરી રહી ગઈ હતી. આ કાર્યક્રમમાં કેટલાક કોર્પોરેટરોને પોતાને ક્યાં જવાનું હતું તેનો પણ ખ્યાલ ન હતો તેવું સામે આવ્યું હતું. રિવરફ્રન્ટ પર ખાદીના કાર્યક્રમમાં કેટલાક કોર્પોરેટરો પહોંચી ગયા હતા.




અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.