'મફતમાં કંઈ ન આપવું જોઈએ', નારાયણ મૂર્તિએ 'ચૂંટણીમાં 'રેવડી કલ્ચર' પર કર્યું આ સૂચન


  • Published By :
  • Published Date : 2023-11-30 21:39:33

આપણા દેશમાં ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા વિવિધ ફ્રી બીઝ (મફતમાં સુવિધાઓ)ના વચનો આપવામાં આવે છે. આ મુદ્દે સોફ્ટવેર કંપની ઇન્ફોસીસના સહ-સ્થાપક એન.આર. નારાયણ મૂર્તિએ કહ્યું છે કે કંઈપણ મફતમાં ન આપવું જોઈએ. તેમણે એવું પણ સૂચન કર્યું હતું કે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ અને સબસિડીનો લાભ લેતા લોકોએ સમાજની ભલાઈ માટે યોગદાન આપવું જોઈએ. સોફ્ટવેર દિગ્ગજ મૂર્તિએ એમ પણ કહ્યું હતું કે ભારત જેવા ગરીબ દેશને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા માટે ઉદાર મૂડીવાદ જ એકમાત્ર ઉપાય છે.


બેંગ્લોર ટેક સમિટમાં કર્યુ સંબોધન


બેંગ્લોર ટેક સમિટ 2023ની 26મી સમિટમાં ઉપસ્થિત રહેલા નારાયણ મૂર્તિએ લોકોને સંબોધ્યા હતા. તેમણે ઉદાહરણ આપતા સમજાવ્યું કે, જો તમે કહો છો કે "હું તમને મફત વીજળી આપીશ, તો તે સરકાર માટે ખૂબ જ સારી વાત છે. પરંતુ તમારે એમ પણ કહેવું જોઈએ કે જો પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી 20 ટકા સુધી પહોંચી જશે, ત્યારે જ અમે તમને આ સુવિધાઓ આપીશું."  


ભાવિ પેઢીના કલ્યાણ માટે યોગદાન આપો


આઈટી ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ નારાયણ મૂર્તિએ કહ્યું કે, "હું ફ્રી સેવાઓ આપવાના વિરુદ્ધમાં નથી. હું આ સારી રીતે સમજું છું કારણ કે હું પણ એક ગરીબ પૃષ્ઠભૂમિમાંથી આવ્યો છું. પરંતુ મને લાગે છે કે મફત સુવિધાઓનો લાભ લેતા લોકોએ પોતાની ભાવિ પેઢીના કલ્યાણ માટે બદલામાં કંઈક યોગદાન આપવું જોઈએ."



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.