વિધાનસભાની ચૂંટણીમાં NOTA ફેક્ટર કેટલું મહત્વનું, રાજકીય નેતાઓ શા માટે ફફડે છે?, જાણો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 13:04:08

પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE


ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. જો કે ચોથું ફેક્ટર NOTA (None of the above)ને પણ અવગણી શકાય નહીં. નોટાએ વર્ષ 2017ની ચૂંટણીના પરિણામોમાં બહું મહત્વની અસર કરી હતી.  નોટાના કારણે કુલ 31 બેઠક એવી હતી જેના પરિણામ બદલાઈ ગયા હતાં. ઘણા ઉમેદવારો ખુબ જ ઓછા માર્જિનથી જીત્યા હતા. 


2017ની વિધાનસભાની ચૂંટણીમાં NOTA ઈફેક્ટ


વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 5 લાખથી વધુ મતો નોટામાં પડયા હતા. જે કુલ મતદાનના 1.83 ટકા હતા. આ મતના કારણે 31 બેઠક એવી હતી કે જીતેલા ઉમેદવારે હરીફ ઉમેદવાર પર મેળવેલી મતોની સરસાઈ કરતાં નોટાના મતો વધારે હતા.  ભાજપના 17 ઉમેદવાર નોટાના કારણે જીતી ગયા હતા તો કોંગ્રેસના 12 ઉમેદવારની જીત નોટાને કારણે સરળ બની હતી.  


વર્ષ 2017માં NOTAના કારણે કોંગ્રેસને નુકસાન


વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં NOTA (None of the above)ના કારણે કોંગ્રેસને સૌથી વધુ નુકસાન થયું હતું.  જો નોટાના મત  કોંગ્રેસને મળ્યા હોત તો કોગ્રેસ 77ને બદલે 82 સીટ જીતવામાં સફળ રહી હોત. આ 82 સીટમાં 3 અપક્ષ, 1 NCP અને 2 BTPની સીટ મળીને કુલ 88 સીટ થઈ અને ભાજપના ફાળે પણ 94 સીટ જ આવી હોત. આમ, કોંગ્રેસના હાથમાંથી સત્તા હાથવેંત રહી ગઈ હતી. 


EVMમાં NOTAનો વિકલ્પ શા માટે?


ચૂંટણીમાં એક વિકલ્પ તરીકે NOTA શા માટે મહત્વનો છે તે પણ સમજવું જોઈએ. નોટાને એક નકારાત્મક વિકલ્પ તરીકે માન્યતા મળી છે. મતદારોને કોઈ પણ ઉમેદવાર પસંદ ન હોય તો તે સામાન્ય રીતે મતદાન કરવાનું ટાળતો હોય છે. જોકે તેને જો NOTAનો વિકલ્પ મળે તો તે ચોક્કસપણે મતદાન કરશે. સુપ્રીમ કોર્ટે પણ આ વિચારને સ્વિકારી NOTAનો EVMમાં સમાવેશ કરવા માટે હુકમ કર્યો હતો. 


રાજકીય પક્ષોને નાપસંદ છે NOTA


દેશના તમામ રાજકીય પક્ષોને NOTAનો વિકલ્પ બિલકુલ પસંદ નથી, NOTAના કારણે ઉમેદવારોની હારજીતમાં બહું મોટો ફરક પડી જતો હોય છે. ઉમેદવારોની જીત પણ હારમાં ફેરવાઈ જતી હોય છે તેથી રાજકીય પાર્ટીઓેએ શરૂઆતમાં તેનો વિરોધ કર્યો હતો. જો કે તંદુરસ્ત લોકશાહી માટે તે ખુબ જ જરૂરી છે. NOTAના કારણે મતદારોને મતદાન  કરવાનો એક નકારાત્મક વિકલ્પ મળશે અને તે મતદાન કરવા માટે આકર્ષાશે. 


NOTAનો ઈતિહાસ શું છે ?


NOTAનો ઉપયોગ સૌ પ્રથમ અમેરિકામાં થયો હતો. અમેરિકાના નેવાડા રાજ્યમાં 1976 ની ચૂંટણીમાં NOTA કરવામાં આવ્યો હતો. આ પછી તેનો ઉપયોગ ઘણા દેશોમાં શરૂ થયો. કોલંબિયા, યુક્રેન, બાંગ્લાદેશ, બ્રાઝીલ, ફિનલેન્ડ, સ્પેન , સ્વિડન, ચીલી, ફ્રાન્સ, ભારત, બેલ્જીયમ અને ગ્રીસ આટલા દેશો પોતાના નાગરિકોને નકારાત્મક મત આપવાનો અધિકાર આપ્યો છે.


ભારતમાં NOTAનો આરંભ ક્યારથી થયો?


વર્ષ 2009માં નોટાને મતદાનમાં સામેલ કરવા માટે ચૂંટણીપંચે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેથી ભારતના મતદાતાઓને પણ જો અયોગ્ય હોય તો તેવા ઉમેદવારોને પસંદ ન કરવાની આઝાદી મળે. જોકે તત્કાલીન સરકાર અને અન્ય કેટલાક રાજકીય પક્ષોએ તેનો વિરોધ કર્યો હતો તેને કારણે તે વખતે ભારતમાં તેનો અમલ થઈ શક્યો ન હતો. તે સમયે તેને પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ દ્વારા ટેકો મળ્યો હતો, જે એક એનજીઓ હતું. વર્ષ 2013 માં, સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો, ત્યાર બાદ થયેલી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં તેનો પહેલી વાર ઉપયોગ થયો અને તે વખતે 15 લાખ લોકોએ નોટાના વિકલ્પનો ઉપયોગ કર્યો હતો. પછી વર્ષ 2014માં થયેલી લોકસભાની ચૂંટણીથી તેનો ઉપયોગ આખા દેશમાં શરૂ થયો. આ રીતે, ચૂંટણી પંચે ઇલેક્ટ્રોનિક મતદાન મશીનોમાં નોટાનો સમાવેશ કર્યો.



અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.