70 કરોડના ખર્ચે 3 વર્ષમાં ઉભી કરાયેલી 40 માળની ઈમારત માત્ર 9 સેકન્ડમાં થશે ધરાશાઈ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-27 15:58:24

ભ્રષ્ટાચારના પાયા પર ઉભી થયેલા નોઈડા સ્થિત સુપરટેક બિલ્ડરના ટ્વિન ટાવર(એપેક્સ અને સિયાન)ને રવિવારે બપોરે અઢી વાગ્યે જમીનદોસ્ત કરી દેવામાં આવશે. ત્રણ વર્ષના સમયગાળામાં 70 કરોડના ખર્ચે તૈયાર થયેલી 40 માળની આ બે ઈમારત માત્ર 9 જ સેકન્ડમાં ધરાશાઈ થઈ જશે. ટ્વીન ટાવરને તોડી પાડવા માટે 3700 કિલોગ્રામ જેટલા વિષ્ફોટકોનો ઉપયોગ કરાશે. 


આવી રીતે તોડી પડાશે ઈમારત


ટ્વીન ટાવર સોક ટ્યૂબ સિસ્ટમ હેઠળ ધ્વસ્ત કરવામાં આવશે. આ ટેકનોલોજીમાં કાટમાળ પાણીના ઝરણાની જેમ સીધે નીચે પડે છે. ટાવરને પાડવા માટે અલગ-અલગ સેકન્ડમાં વિષ્ફોટ કરવામાં આવશે. ટાવર તોડી પાડવાની શરૂઆત બેસમેન્ટથી થશે. એક પછી એક કરીને સ્લેબ નીચે પડશે. બંને ટાવરનો પહેલો ફ્લોર એક સેકન્ડ અને અંતિમ ફ્લોર સાત સેકન્ડમાં ધ્વ્સ્ત થઈ જશે.એડિફિસ એજન્સીના અધિકારીઓએ જણાવ્યું કે ટાવર પડવા દરમિયાન મહત્તમ વાઇબ્રેશન લેવલ 34 અને લઘુત્તમ 2 મિમી પ્રતિ સેકન્ડ રહેવાની અનુમાન છે. આવી સ્થિતિમાં, 10 મીટરની ત્રિજ્યામાં આવેલા ફ્લેટમાં માત્ર નજીવી તિરાડ આવી શકે છે. બાકીના પર કોઈ અસર થશે નહીં. આ સમયગાળા દરમિયાન અવાજનું સ્તર 150 ડેસિબલ રહેવાની સંભાવના છે. નોઈડા સિસ્મિક ઝોન-4માં આવે છે. અહીં બનેલી તમામ ઈમારતો 7 અને 8 રિક્ટર સ્કેલના ભૂકંપનો સામનો કરી શકે છે. આ ઇમારતો 300 મીમી પ્રતિ સેકન્ડના કંપનનો સામનો કરી શકે તે પ્રમાણે બનાવવામાં આવી છે. વાઇબ્રેશન ઓછું કરવા માટે બંને ટાવરના બેઝમેન્ટમાં કોંક્રીટ વેવ બનાવવામાં આવ્યા છે.



કઈ રીતે ઉભી થઈ ઈમારત?


નોઈડા ઓથોરિટીએ 20 જૂન 2005ના રોજ સુપરટેક બિલ્ડરને એમરાલ્ડ કોર્ટના બાંધકામની મંજૂરી આપી હતી. આ સંકુલમાં 14 ટાવર બનાવવાના હતા. ટાવરમાં ગ્રાઉન્ડ ફ્લોર અને નવ માળ બનાવવાની પરવાનગી આપવામાં આવી હતી. જોકે, બિલ્ડરે વર્ષ 2006માં તેમાં ફેરફાર કરીને ગ્રાઉન્ડ ફ્લોર અને 11 માળની સાથે બે વધારાના ટાવરનો સમાવેશ કર્યો હતો. આ પછી વર્ષ 2009માં નકશામાં ફેરફાર કરીને ટાવરની ઊંચાઈ વધારવામાં આવી હતી. આ વખતે ટાવરમાં 24 માળ બનાવવાનું નક્કી કરાયું હતું. વર્ષ 2012માં નકશામાં ફરીથી સુધારો કરીને ઊંચાઈ વધારીને 40 માળ કરવામાં આવી હતી. એમરોલ્ડ કોર્ટ સોસાયટીમાં રહેતા લોકોએ સુપરટેક બિલ્ડર અને નોઈડા ઓથોરિટી સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ સોસાયટીના લોકોએ વર્ષ 2012માં અલ્લાહબાદ હાઈકોર્ટનાં દરવાજા ખખડાવ્યા હતા. 11 એપ્રીલ 2014માં વિવાદાસ્પદ ટ્વિન ટાવરને ધ્વસ્ત કરવાનો હુકમ આપ્યો હતો.સુપરટેક બિલ્ડરે આ હુકમને સુપ્રીમમાં પડકાર્યો હતો. જોકે સુપ્રીમે પણ 31 ઓગસ્ટ 2021ના દિવસે ટાવરને ધરાસાઈ કરવાનો હુકમ આપ્યો હતો. 


28 ઓગસ્ટના દિવસે વિષ્ફોટકોથી ધ્વસ્ત થનારા ટ્વીન ટાવર દેશની સૌથી ઉંચી ઈમારત હશે. આ પહેલા દેશમાં આટલું મોટું ગેરકાયદે બાંધકામ તોડવામાં આવ્યું નથી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે