70 કરોડના ખર્ચે 3 વર્ષમાં ઉભી કરાયેલી 40 માળની ઈમારત માત્ર 9 સેકન્ડમાં થશે ધરાશાઈ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-27 15:58:24

ભ્રષ્ટાચારના પાયા પર ઉભી થયેલા નોઈડા સ્થિત સુપરટેક બિલ્ડરના ટ્વિન ટાવર(એપેક્સ અને સિયાન)ને રવિવારે બપોરે અઢી વાગ્યે જમીનદોસ્ત કરી દેવામાં આવશે. ત્રણ વર્ષના સમયગાળામાં 70 કરોડના ખર્ચે તૈયાર થયેલી 40 માળની આ બે ઈમારત માત્ર 9 જ સેકન્ડમાં ધરાશાઈ થઈ જશે. ટ્વીન ટાવરને તોડી પાડવા માટે 3700 કિલોગ્રામ જેટલા વિષ્ફોટકોનો ઉપયોગ કરાશે. 


આવી રીતે તોડી પડાશે ઈમારત


ટ્વીન ટાવર સોક ટ્યૂબ સિસ્ટમ હેઠળ ધ્વસ્ત કરવામાં આવશે. આ ટેકનોલોજીમાં કાટમાળ પાણીના ઝરણાની જેમ સીધે નીચે પડે છે. ટાવરને પાડવા માટે અલગ-અલગ સેકન્ડમાં વિષ્ફોટ કરવામાં આવશે. ટાવર તોડી પાડવાની શરૂઆત બેસમેન્ટથી થશે. એક પછી એક કરીને સ્લેબ નીચે પડશે. બંને ટાવરનો પહેલો ફ્લોર એક સેકન્ડ અને અંતિમ ફ્લોર સાત સેકન્ડમાં ધ્વ્સ્ત થઈ જશે.એડિફિસ એજન્સીના અધિકારીઓએ જણાવ્યું કે ટાવર પડવા દરમિયાન મહત્તમ વાઇબ્રેશન લેવલ 34 અને લઘુત્તમ 2 મિમી પ્રતિ સેકન્ડ રહેવાની અનુમાન છે. આવી સ્થિતિમાં, 10 મીટરની ત્રિજ્યામાં આવેલા ફ્લેટમાં માત્ર નજીવી તિરાડ આવી શકે છે. બાકીના પર કોઈ અસર થશે નહીં. આ સમયગાળા દરમિયાન અવાજનું સ્તર 150 ડેસિબલ રહેવાની સંભાવના છે. નોઈડા સિસ્મિક ઝોન-4માં આવે છે. અહીં બનેલી તમામ ઈમારતો 7 અને 8 રિક્ટર સ્કેલના ભૂકંપનો સામનો કરી શકે છે. આ ઇમારતો 300 મીમી પ્રતિ સેકન્ડના કંપનનો સામનો કરી શકે તે પ્રમાણે બનાવવામાં આવી છે. વાઇબ્રેશન ઓછું કરવા માટે બંને ટાવરના બેઝમેન્ટમાં કોંક્રીટ વેવ બનાવવામાં આવ્યા છે.



કઈ રીતે ઉભી થઈ ઈમારત?


નોઈડા ઓથોરિટીએ 20 જૂન 2005ના રોજ સુપરટેક બિલ્ડરને એમરાલ્ડ કોર્ટના બાંધકામની મંજૂરી આપી હતી. આ સંકુલમાં 14 ટાવર બનાવવાના હતા. ટાવરમાં ગ્રાઉન્ડ ફ્લોર અને નવ માળ બનાવવાની પરવાનગી આપવામાં આવી હતી. જોકે, બિલ્ડરે વર્ષ 2006માં તેમાં ફેરફાર કરીને ગ્રાઉન્ડ ફ્લોર અને 11 માળની સાથે બે વધારાના ટાવરનો સમાવેશ કર્યો હતો. આ પછી વર્ષ 2009માં નકશામાં ફેરફાર કરીને ટાવરની ઊંચાઈ વધારવામાં આવી હતી. આ વખતે ટાવરમાં 24 માળ બનાવવાનું નક્કી કરાયું હતું. વર્ષ 2012માં નકશામાં ફરીથી સુધારો કરીને ઊંચાઈ વધારીને 40 માળ કરવામાં આવી હતી. એમરોલ્ડ કોર્ટ સોસાયટીમાં રહેતા લોકોએ સુપરટેક બિલ્ડર અને નોઈડા ઓથોરિટી સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ સોસાયટીના લોકોએ વર્ષ 2012માં અલ્લાહબાદ હાઈકોર્ટનાં દરવાજા ખખડાવ્યા હતા. 11 એપ્રીલ 2014માં વિવાદાસ્પદ ટ્વિન ટાવરને ધ્વસ્ત કરવાનો હુકમ આપ્યો હતો.સુપરટેક બિલ્ડરે આ હુકમને સુપ્રીમમાં પડકાર્યો હતો. જોકે સુપ્રીમે પણ 31 ઓગસ્ટ 2021ના દિવસે ટાવરને ધરાસાઈ કરવાનો હુકમ આપ્યો હતો. 


28 ઓગસ્ટના દિવસે વિષ્ફોટકોથી ધ્વસ્ત થનારા ટ્વીન ટાવર દેશની સૌથી ઉંચી ઈમારત હશે. આ પહેલા દેશમાં આટલું મોટું ગેરકાયદે બાંધકામ તોડવામાં આવ્યું નથી.



માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.

આપણી આસપાસ એવા લોકો હશે જે ખાવાની કદર નહીં કરતા હોય... અન્નો અનાદર કરતા હોય.. થાળીમાં પીરસાતા ભોજનનો તીરસ્કાર કરતા હોય છે, અથવા તો એંઠું મૂકી દેતા હોય છે, પરંતુ આ સમયે તે નથી વિચારતા કે અન્નને તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો હશે અને કેટલી મહેનત લાગી હશે..

વિધાનસભામાં પણ શિક્ષકોની ઘટનો મુદ્દો ઉઠ્યો છે.. અનેક વખત અલગ અલગ રીતથી ઉમેદવારો સરકાર સુધી પોતાની વાત મૂકવાનો પ્રયત્ન કરે છે ત્યારે ફરી એક વખત ઉમેદવારો પોતાની માગ સાથે પહોંચ્યા છે પરંતુ સરકાર સમક્ષ નહીં પરંતુ ગણપતિ દાદા સમક્ષ....

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ગાડીઓ હવામાં ઉડી રહી હોય તેવું લાગે.. હાલમાં જ અલવરમાં દિલ્હી-વડોદરા એક્સપ્રેસ-વેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેમાં જોવા મળ્યું હતું કે રસ્તામાં ખામીને કારણે પૂરપાટ ઝડપે ચાલતી કાર હવામાં ઊછળી રહી છે.