મોત ક્યા, ક્યારે અને કેવી રીતે આવશે તે કોઇ જાણી શકતું નથી, રાજકોટમાં હાર્ટએકેટને કારણે થયા બે યુવકના મોત


  • Published By :
  • Published Date : 2023-01-30 13:13:17

શિયાળાને કારણે અનેક લોકોના મોત હાર્ટએકેટને કારણે થઈ રહ્યા છે. નાની ઉંમરે પણ લોકો હાર્ટએકેટનો શિકાર બનતા હોય છે. અનેક લોકોના જીવ જઈ રહ્યા છે. ત્યારે રાજકોટમાં વધુ બે યુવાનોના મોત હાર્ટએકેટને કારણે થયા છે. બે ઘટના બની છે જેમાં એક ઘટનામાં રેસકોર્સ ખાતે રમતા યુવાન અને બીજી ઘટના ફૂટબોલ રમતા મારવાડી કોલેજના વિદ્યાર્થીનું મોત હાર્ટએકેટ થવાને કારણે થયા છે.  બે યુવાનોના મોત થતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે.


રાજકોટમાં હાર્ટએકેટને કારણે થયા બે લોકોના મોત 

થોડા સમય પહેલા એક રિચર્સ સામે આવ્યો હતો જેમાં એવું તારણ આવ્યું હતું કે શિયાળાના સમય દરમિયાન હાર્ટએકેટની સંખ્યામાં વધારો થયો છે. હાર્ટએકેટને કારણે અનેક લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે ત્યારે હાર્ટએકેટે વધુ બે યુવાનોનો જીવ લીધો છે. મોત ક્યાં, ક્યારે અને કેવી રીતે આવશે તે વિશે જાણકારી નથી હોતી. આવી જ બે ઘટનાઓ રાજકોટમાં બની છે. 


મેચ રમતી વખતે વાગ્યો હતો બોલ 

રેસકોર્સ ખાતે મેચ રમાઈ રહી હતી તે દરમિયાન યુવકને ટેનિસ બોલ વાગ્યો હતો. બોલ વાગ્યા બાદ પણ તેણે રમવાનું ચાલું રાખ્યું હતું. ઈજા બાદ 22 રન કરીને તે યુવક આઉટ થઈ ગયો હતો. આઉટ થયા બાદ કારમાં બેસી યુવક મેચ જોઈ રહ્યો હતો. તે વખતે જ તેનું હાર્ટ ફેલ થઈ ગયું હતું અને તે ઢળી પડ્યો હતો. યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. 


ફૂટબોલ રમતા દરમિયાન યુવક થયો બેભાન 

બીજી ઘટનામાં રાજકોટની મારવાડી કોલેજમાં અભ્યાસ કરતા યુવકનું મોત થઈ ગયું છે. કેમ્પસમાં ફૂટબોલ રમતી વખતે આ ઘટના સર્જાઈ હતી. ફૂટબોલ રમતી વખતે અચાનક બેભાન થઈ ગયો હતો. બેભાન હાલતમાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો. આ બંને ઘટનાઓ રમતી વખતે બની હતી.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.