ભારતની સલાહ લીધા વિના વિશ્વમાં કોઈ પણ મોટા મુદ્દાનો નિર્ણય લેવામાં આવતો નથી: એસ જયશંકર


  • Published By :
  • Published Date : 2024-01-13 17:26:00

વિદેશ મંત્રી ડો. એસ જયશંકર હાલ મહારાષ્ટ્રના પ્રવાસ પર છે. તેમણે નાગપુરમાં રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘના સંસ્થાપક ડો. હેડગેવાર અને ગુરુજીને શ્રધ્ધાંજલિ અર્પી હતી. આ દરમિયાન તેમણે મીડિયા સાથેની ચર્ચામાં કહ્યું કે હવે આપણે બદલાઈ ગયા છિએ તેથી દુનિયાનો આપણા તરફ જોવાનો દ્રષ્ટીકોણ પણ બદલાઈ ગયો છે. દુનિયામાં કોઈ પણ મોટા મુદ્દાઓ હવે ભારત સાથે વિચાર-વિમર્સ અને સલાહ વિના નક્કી થતાં નથી. 


કાલે અમેરિકાના વિદેશ મંત્રી સાથે કરી ચર્ચા


લાલ સાગરમાં સુરક્ષા પરિસ્થિતીઓ હવે હુથી બળવાખોરોના કારણે મોટા પડકારરૂપ બની ગઈ છે. આ મામલે વિદેશ મંત્રી જય શંકરે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન સાથે ફોન પર ચર્ચા કરી હતી. બંને નેતાઓએ ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ અને યુક્રેનની સ્થિતી પર ચર્ચા કરી હતી. આ ચર્ચા અંગે મંત્રી જયશંકરે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે "આજ સાંજે મારા મિત્ર અને અમેરિકાના વિદેશ મંત્રી બ્લિંકન સાથે સારી ચર્ચા થઈ હતી. અમારી ચર્ચા સમુદ્ર સુરક્ષાના પડકારો, વિશેષ રીતથી લાલ લાગર ક્ષેત્ર પર કેન્દ્રીત હતું, તે સાથે જ ગાઝા સહિત પશ્ચિમ એશિયામાં માટેની અમેરિકાની નીતિઓની પ્રશંસા કરી હતી."



બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.

ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ છવાઈ રહ્યો છે.... ત્રણેય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે... ત્રણ એટલા માટે કે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઉતારશે એવી ચર્ચા છે... એટલે આપ અને કોંગ્રેસનું ગઠબંધન તૂટશે એવુ કહી શકાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા કેમ્પેઈનનો શુભારંભ કરાવ્યો હતો.. રેડ ક્રોસ ભવનની બાજુમાં આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભવનના પરિસરમાં કરવામાં આવ્યો હતો..

આજે ચૂંટણી પંચ દ્વારા વાવ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરી છે.. 13 નવેમ્બરે વાવ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે જેનું પરિણામ 23 નવેમ્બરે આવવાનું છે..