ભારતની સલાહ લીધા વિના વિશ્વમાં કોઈ પણ મોટા મુદ્દાનો નિર્ણય લેવામાં આવતો નથી: એસ જયશંકર


  • Published By :
  • Published Date : 2024-01-13 17:26:00

વિદેશ મંત્રી ડો. એસ જયશંકર હાલ મહારાષ્ટ્રના પ્રવાસ પર છે. તેમણે નાગપુરમાં રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘના સંસ્થાપક ડો. હેડગેવાર અને ગુરુજીને શ્રધ્ધાંજલિ અર્પી હતી. આ દરમિયાન તેમણે મીડિયા સાથેની ચર્ચામાં કહ્યું કે હવે આપણે બદલાઈ ગયા છિએ તેથી દુનિયાનો આપણા તરફ જોવાનો દ્રષ્ટીકોણ પણ બદલાઈ ગયો છે. દુનિયામાં કોઈ પણ મોટા મુદ્દાઓ હવે ભારત સાથે વિચાર-વિમર્સ અને સલાહ વિના નક્કી થતાં નથી. 


કાલે અમેરિકાના વિદેશ મંત્રી સાથે કરી ચર્ચા


લાલ સાગરમાં સુરક્ષા પરિસ્થિતીઓ હવે હુથી બળવાખોરોના કારણે મોટા પડકારરૂપ બની ગઈ છે. આ મામલે વિદેશ મંત્રી જય શંકરે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન સાથે ફોન પર ચર્ચા કરી હતી. બંને નેતાઓએ ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ અને યુક્રેનની સ્થિતી પર ચર્ચા કરી હતી. આ ચર્ચા અંગે મંત્રી જયશંકરે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે "આજ સાંજે મારા મિત્ર અને અમેરિકાના વિદેશ મંત્રી બ્લિંકન સાથે સારી ચર્ચા થઈ હતી. અમારી ચર્ચા સમુદ્ર સુરક્ષાના પડકારો, વિશેષ રીતથી લાલ લાગર ક્ષેત્ર પર કેન્દ્રીત હતું, તે સાથે જ ગાઝા સહિત પશ્ચિમ એશિયામાં માટેની અમેરિકાની નીતિઓની પ્રશંસા કરી હતી."



ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વ્હાઇટહાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ આ રેસિપ્રોકલ ટેરિફ પછી યુરોપમાંથી પેહલા વડાપ્રધાન છે જેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા છે. આ મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની પ્રશંસા કરી છે સાથે જ સામે જ્યોર્જિયા મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પને ઇટાલીની રાજધાની રોમમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મુલાકાત દરમ્યાન બેઉ દેશોના વડાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન પણ કર્યું હતું જેમાં એક પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કે , તમે ક્યારેય યુરોપના લોકોને પેરેસાઇટ કહ્યા છે. જોકે ટ્રમ્પએ વાત નકારી કાઢે છે

થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.