કોઈ બીમારીએ નહીં પણ ગર્મી એ લીધા યુરોપના અનેક લોકોના જીવ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-08 13:42:40


WHO અનુસાર, 2022માં યુરોપમાં ગરમ ​​હવામાનને કારણે ઓછામાં ઓછા 15,000 લોકોના મોત થયા છે. સ્પેન અને જર્મની આમાં સૌથી વધુ પ્રભાવિત દેશોમાં સામેલ છે.


WHOના પ્રાદેશિક નિર્દેશક હંસ ક્લુગેએ એક નિવેદન આપતા કહ્યું કે " અત્યાર સુધી કેટલાક દેશના ડેટાના આધારે અંદાજો 15 હજાર લોકોનો આવ્યો છે પરંતુ મૃત્યુઆંકમાં વધુ વધારો થવાની આશંકા વ્યક્ત કરી છે. તે કહે છે કે ઘણા મૃત્યુની માહિતી રેકોર્ડમાં પણ નોંધવામાં આવી નથી.અત્યારે સ્પેનમાં લગભગ 4 હજાર લોકો મૃત્યુ પામ્યા, પોર્ટુગલમાં 1 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા, યુનાઇટેડ કિંગડમમાં 3,200 થી વધુ લોકો અને જર્મનીમાં ઉનાળાના 3 મહિનામાં લગભગ 4,500 લોકો મૃત્યુ પામ્યા છે .  


પહેલીવાર તાપમાન આટલું વધ્યું !!


જૂન અને જુલાઇ વચ્ચે હિટવેવથી બ્રિટનમાં સૌથી વધુ તાપમાન થયું હતું  બ્રિટનમાં પ્રથમ વખત તાપમાન 40 °C (104 °F) સુધી જોવા મળ્યું હતું. આ સમયગાળા દરમિયાન યુરોપમાં લગભગ 24,000 વધારાના મૃત્યુ જોવા મળ્યા હતા. જુન-ઓગસ્ટના ત્રણ મહિના યુરોપમાં રેકોર્ડ શરૂ થયા પછી સૌથી ગરમ હતા અને અપવાદરૂપે ઊંચા તાપમાને મધ્ય યુગ પછી ખંડનો સૌથી ખરાબ દુષ્કાળ જાહેર કર્યો હતો.




આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.